ચાંગોદરમાં આવેલી રામદેવ ફૂડ પ્રોડક્ટ્સ કંપનીમાં 183 લોકો કોરોના પોઝિટિવ

Spread the love

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ

અમદાવાદ શહેરમાં જ નહીં પરંતુ અમદાવાદ જિલ્લામાં પણ હવે કોરોના ફેલાઈ રહ્યો છે. અમદાવાદના સાણંદ તાલુકામાં ચાંગોદરમાં આવેલી રામદેવ ફૂડ પ્રોડક્ટ્સ કંપનીમાં કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 183 લોકો કોરોના પોઝિટિવ આવતા હાહાકાર મચી ગયો છે. કંપનીમાં આટલી મોટી સંખ્યામાં લોકો કોરોના પોઝિટિવ આવતા સાણંદના ડેપ્યુટી મામલતદાર અને પોલીસે તાત્કાલિક ધોરણે કંપનીમાં તપાસ કરી હતી. પોઝિટિવ તમામ કર્મચારીઓને હોમ આઇસોલેશનમાં રહેવા માટેની સૂચના આપવામાં આવી છે. કંપનીમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ કોરોના કેસો સતત વધી રહ્યાં છે. જેના પગલે અમદાવાદ જિલ્લામાં આવેલી ફેક્ટરીઓ અને કંપનીઓમાં પણ કોરોના ટેસ્ટિંગ શરુ કરવામાં આવ્યું છે. ચાંગોદર વિસ્તારમાં આવેલી રામદેવ ફૂડ પ્રોડક્ટ્સ નામની કંપનીમાં કોરોનાના તમામ સ્ટાફના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં કુલ 669 જેટલા લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને 183 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. આ ટેસ્ટ દરમ્યાન 27.35 ટકા પોઝિટિવિટી રેટ આવ્યો હતો. કંપનીમાં મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવતાં તાત્કાલિક ધોરણે ડેપ્યુટી મામલતદાર અને પોલીસે કંપનીમાં તપાસ કરી તમામ કર્મચારીઓને હોમેઆઇસોલેશન માં રહેવા સૂચના આપી છે .

160 જેટલા કર્મચારી અમદાવાદ શહેરના

કોરોના પોઝિટિવ દર્દીમાં આવેલા કુલ 183 દર્દીઓમાંથી 21 દર્દીઓ જ માત્ર સાણંદ અને આસપાસના રહેવાથી છે. બાકીના તમામ દર્દીઓ અમદાવાદ શહેરમાંથી કંપનીમાં નોકરી કરવા માટે આવતા હતા. હાલમાં આટલી મોટી સંખ્યામાં દર્દીઓ મળી આવતાં આસપાસના વિસ્તારોમાં હાહાકાર મચી ગયો છે. સાણંદમાં રહેતા તમામ 21 લોકોને કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com