Spread the love

ગુજરાતના સ્વ. મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલની 94મી જન્મજ્યંતિ પ્રસંગે ગઈકાલે 03-06-2022ના રોજ 08:30 થી 09:30 ગાંધીનગર ખાતે આવેલ “નર્મદાઘાટ” સમાધિ સ્થળ પર પ્રાર્થના સભા અને ચીમનભાઈ પટેલ પુલના છેડે આર.ટી.ઓ સર્કલ પાસેની ચીમનભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પુર્વ પ્રમુખો અર્જુનભાઈ મોઢવાડીયા, સિધ્ધાર્થભાઈ પટેલ ઉપરાંત ધારાસભ્યો , જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, સામાજીક સંસ્થાના આગેવાનો તેમજ અગ્રણી નેતાઓએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી પોતાના લોકલાડીલા નેતા,નયા ગુજરાતના સ્વપ્નદ્રષ્ટા, ગુજરાતના વિકાસનો ખરો પાયો નાખનાર સ્વ. મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *