આપ’ રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ કાલે  વેરાવળની જાહેરસભામાં આવનારી ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરશે

Spread the love

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ

આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા

અમદાવાદ

આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ એક વિડિયો ના માધ્યમથી માહિતી આપતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કાલે ગુજરાતની મુલાકાતે આવશે. અરવિંદ કેજરીવાલ સૌરાષ્ટ્રમાં એક જાહેરસભાને સંબોધશે અને આવનારી ચૂંટણીને લઈને એક મહત્વપૂર્ણ જાહેરાત પણ કરશે. આવતીકાલે બપોરે 1 વાગે પોરબંદર એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલનું આગમન થશે. ત્યાંથી વેરાવળમાં બપોરે 3 વાગે KCC ગ્રાઉન્ડ (રેલવે કોલોની) ખાતે એક જાહેરસભાને સંબોધન કરશે અને આવનારી ચૂંટણીને લઈને એક મહત્વપૂર્ણ જાહેરાત કરશે. આ સભા બાદ અરવિંદ કેજરીવાલ રાજકોટ જવા રવાના થશે. સાંજે 6:30 વાગે રાજકોટ એરપોર્ટ પર તેમનું આગમન થશે. રાજકોટમાં સંજય રાજગુરુ કોલેજના ગ્રાઉન્ડમાં એક ભવ્ય મંદિરની પ્રતિષ્ઠાની મહાઆરતીમાં અરવિંદ કેજરીવાલ સામેલ થશે અને મંદિરમાં પૂજા કરશે.અરવિંદ કેજરીવાલ આ કાર્યક્રમ બાદ રાજકોટ એરપોર્ટ થી દિલ્હી જવા રવાના થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com