ગાંધીનગર મહાનગરનાં રોડ-ડ્રેનેજ અને પાણીના પ્રશ્નો સંદર્ભે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી હતી જેમાં ગાંધીનગરનાં મેયરશ્રી હિતેશ મકવાણા તેમજ મહાનગરપાલિકાના પદાધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.મુખ્ય સચિવશ્રી રાજકુમાર, શહેરી વિકાસના અગ્રસચિવશ્રી અશ્વિની કુમાર તેમજ પાણી પૂરવઠો, માર્ગ-મકાનના સચિવશ્રીઓ, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી પંકજ જોષી, સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ વગેરે પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.