31 મે રવિવારે શુક્ર અસ્ત થઈ ગયો છે. શુક્રને કળા પ્રેમ, સૌંદર્ય, વૈવાહિક જીવન અને ભૌતિક સુખોનો કારક માનવામાં આવે છે. શુક્ર ગ્રહ વૃષભ અને તુલા રાશિનો સ્વામી કહેવાય છે. શુક્ર કન્યા રાશિમાં નીચનો અને મીન રાશિમાં ઉચ્ચનો હોય છે. શુક્ર ગ્રહ મજબુત થતા વ્યક્તિના જીવનમાં સુખ અને શાંતિનો અનુભવ થાય છે અને તમામ પ્રકારના ભૌતિક સુખનો આનંદ મેળવી શકે છે. વક્રી શુક્રના નબળા પડવાની સાથે જ આર્થિક સમસ્યાઓ આવે છે વૈવાહિક જીવનમાં તકલીફો શરૂ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રના અસ્ત થવાથી કેટલીક રાશિઓએ ખુબજ સતર્ક અને સાવધાન રહેવુ પડશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે શુક્રનો અસ્ત શુભ ફળ નહી આપે. આર્થિક સમસ્યા આવશે. નુકસાનની સંભાવના. લેતી દેતી વખતે સાવધાન રહેવુ. રોકાણ કરતા પહેલા સો વખત વીચારવુ. માન સન્માન ઘટે નહી તે જોજો.
તુલા રાશિ
તુલા રાશિના જાતકોએ શુક્રનો અસ્ત થતા અશુભ પરિણામ માટે તૈયાર રહેવુ. નોકરી અને વેપારમાં ધ્યાન આપજો. વધારે મહેનત કરશો તો પણ ફળ નહી મળે. વાદ વિવાદથી દૂર જ રહેજો.
વૃશ્ચિક રાશિ
નોકરીમાં સાવધાની રાખજો. ધન ખર્ચ પર કાબૂ રાખવો. અચાનક સમસ્યા થાય. નફા કરતા નુકસાન વધારે આવે.
મકર રાશિ
નજીકના શત્રુઓ નુકસાન પહોંચાડે, તકલીફો વધશે. વાદ-વિવાદથી દૂર જ રહેજો. પરિવારમાં અશાંતી રહે. મુશ્કેલીનો સમય આવી પડે. ગુસ્સા પર કાબૂ રાખો.