Gj 18 મહાનગરપાલિકાના ઢોર ડબ્બામાં ચાલતી ગેરરીતી અને કૌભાંડો સામે ચેરમેન જશુપટેલે જે જવાબદાર કર્મચારી કે અધિકારી હોય તેની સામે સખત કડક પગલાં લેવા અને સસ્પેન્ડ સુધી કરવાની દરખાસ્ત સાથે કમિશનરને પત્ર પાઠવ્યો છે, ભેંસ પાડો જે હોય તેને ઓછો દંડ દર્શાવીને ભ્રષ્ટાચાર આચરતા તથા ગાયોના મોતના સંદર્ભે પણ ગૌરક્ષકોની મળેલી ફરિયાદોથી ચેરમેન તથા સ્ટેન્ડી કમિટીના સભ્યોએ આ પ્રશ્ન સહયોગ આપીને જવાબદાર અધિકારી સામે પગલાં લેવાની માંગ સાથે પત્ર પાઠવવામાં આવ્યો છે ત્યારે ગૌમાતા પણ રોજબરોજ મૃત્યુ પામતી હોવાની ઘટના સામે આવી છે.