ગુજરાતના 21 રેલ્વે સ્ટેશનોના પુનઃ નિર્માણનાં પ્રારંભ પ્રસંગે CM ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા

Spread the love

PM મોદીએ નવી દિલ્હીથી અમૃત ભારત સ્ટેશન યોજના અન્વયે ગુજરાતના 21 સહિત દેશના 508 રેલ્વે સ્ટેશનોના પુનઃ નિર્માણનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અસારવા રેલ્વે સ્ટેશન ખાતે ઉપસ્થિતિ રહ્યા.મુખ્યમંત્રીએ ગુજરાતના કુલ 87 સ્ટેશનોનો અમૃત ભારત સ્ટેશન યોજનામાં સમાવેશ કરી આઇકોનિક પ્લેસીસ બનાવાની જાહેરાત કરી. ગુજરાતમાં રેલ્વે સ્ટેશનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ માટે વર્ષ 2023-24માં રૂ. 832 કરોડ ફાળવાયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૃષ્ટિવંત નેતૃત્વમાં રેલ્વે સેવાઓ દેશની સંસ્કૃતિ, પર્યટન અને તીર્થસ્થાનને જોડવાનું મહત્ત્વપૂર્ણ યાતાયાત માધ્યમ બની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં નિર્માણ થઇ રહેલી ગતિશકિત યુનિવર્સિટી અને દાહોદમાં રેલ્વે એન્જિન ફેક્ટરી પુનઃ કાર્યરત થવામાં વડાપ્રધાનના વિઝનની વિશદ છણાવાટ કરી હતી. આ કાર્યક્રમ પ્રસંગે અસારવા રેલ્વે સ્ટેશન ખાતે રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદ શહેરના મેયર, મુખ્ય સચિવ, અમદાવાદ જિલ્લા કલેકટર, ધારાસભ્યઓ સહિત રેલ્વેના અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com