રાહુલ ગાંધી હંમેશા કહે છે કે, “તિરંગા હી મેરા ધર્મ હૈ” અને એ જ દરેક કોંગ્રેસજનની વિચારધારા : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ

Spread the love

ગુજરાતમાં આર્થિક સંકળામણને કારણે કોઈ વ્યક્તિ કે પરિવાર આત્મહત્યા કરે ત્યારે આપણે કહી શકીએ કે હજુ આર્થિક આઝાદી મેળવવાની બાકી : રાષ્ટ્રીય પર્વ સ્વતંત્રતા દિવસની સર્વે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવું છું :  મહાત્મા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ નેતૃત્વમાં પં. જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ડૉ. બાબાસાહેબ આંબેડકર, મૌલાના અબુલ કલામ સહિત અનેક નામી અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ અને સમર્પણના કારણે આજે આપણે આઝાદી ભોગવી રહ્યાં છીએ : શક્તિસિંહ

અમદાવાદ

રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ૭૭માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે પટાંગણમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ રાષ્ટ્ર ધ્વજ લહેરાવી ધ્વજવંદન કર્યા હતા. સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ઉદબોધન કરતા  શક્તિસિંહ ગોહિલ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય પર્વ સ્વતંત્રતા દિવસની સર્વે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવું છું. મહાત્મા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પક્ષના નેતૃત્વમાં પં. જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ડૉ. બાબાસાહેબ આંબેડકર, મૌલાના અબુલ કલામ સહિત અનેક નામી અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ અને સમર્પણના કારણે આજે આપણે આઝાદી ભોગવી રહ્યાં છીએ. આ દિવસ આપણા બહાદુર નેતાઓ અને સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને ચિહ્નિત કરે છે, જેમણે દેશવાસીઓ માટે પોતાનું સર્વસ્વ આપી દીધું હતું. દેશના ઘડવૈયાઓ, પૂર્વજોએ માત્ર રાજકીય આઝાદીની કામના નહોતી કરી તેમણે સામાજીક અને આર્થિક આઝાદીની પણ સંકલ્પના કરી હતી. પરંતુ જ્યારે ગુજરાતમાં આર્થિક સંકળામણને કારણે કોઈ વ્યક્તિ કે પરિવાર આત્મહત્યા કરે ત્યારે આપણે કહી શકીએ કે હજુ આર્થિક આઝાદી મેળવવાની બાકી છે. એકતરફ કરોડો અબજો રૂપિયાની ધનસંપત્તિના લોકો હોય તે આપણા માટે ગૌરવ પૂર્ણ બાબત છે પરંતુ શ્રીમંતો અને ગરીબો વચ્ચેનો ભેદ ઓછો ન થાય તે દર્શાવે છે કે, હજુ આપણને આર્થિક આઝાદી નથી મળી. તેવી જ રીતે સમાજ સમાજ વચ્ચે સમન્વય, સમરસતા, પ્રેમ, ભાઈચારો હોય તે જરૂરી છે.

દેશી રજવાડાઓને એક કરવા માટે થઈને સરદાર વલ્લભભાઈ પટેલે તિરંગાને સન્માન આપ્યું હતું. જે સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ૨૫ વર્ષ જેટલા લાંબા સમય સુધી પ્રદેશ અધ્યક્ષ રહ્યાં હતાં તે આપણા સૌ માટે ગર્વની બાબત છે. જ્યારે દેશમાં સોય પણ નહોતી બનતી આજે દેશમાં સેટેલાઈટ, હવાઈજહાજ, ઉદ્યોગો બની રહ્યાં છે. દેશમાં નવરત્નોની સ્થાપના કરીને દેશને સ્વાવલંબી બનાવવા માટે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તિરંગાને સન્માન આપ્યું હતું. ‘જયજવાન જય કિસાન’ નો નારો આપી, પાકિસ્તાન સામે પ્રથમ યુદ્ધ જીતીને લાલબહાદુર શાસ્ત્રીએ તિરંગાને સન્માન આપ્યું હતું. પાકિસ્તાનના બે ટુકડા કરીને અને પોખરણમાં પ્રથમ અણુધડાકો કરી વિશ્વમાં તિરંગાનું નામ રોશન શ્રીમતિ ઈન્દિરા ગાંધીએ કર્યું હતું. ભારતને ૨૧મી સદીમાં લઈ જનાર અને આઈ.ટી. અને ટેકનોલોજીક્રાંતિ લાવીને, ૧૮ વર્ષની ઉંમરે મતદાનનો અધિકાર આપીને રાજીવ ગાંધીએ તિરંગાને સન્માન આપ્યું હતું. આર્થિક ઉદારીકરણની શરૂઆત કરીને પી.વી. નરસિંહારાવે ભારતનો ડંકો વિશ્વમાં પ્રસ્થાપિત કરીને તિરંગાને સન્માન આપ્યું હતું. યુ.પી.એ. અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધી અને વડાપ્રધાન મનમોહનસિંહનો સમયગાળો અધિકારોનો દાયકો ગણાય છે. આ દરમ્યાન રાઈટ ટુ ઈન્ફોર્મેશન (માહિતીનો અધિકાર), રાઈટ ટુ એજ્યુકેશન (શિક્ષણનો અધિકાર), રાઈટ ટુ ફુડ (અન્નનો અધિકાર), રાઈટ ટુ ફોરેસ્ટ (જંગલના જમીનનો અધિકાર), મનરેગા (રોજગારનો અધિકાર) સહિત અનેક અધિકારો દેશની જનતાને સમર્પિત કરીને તિરંગાને સન્માન આપ્યું છે.આ સ્વતંત્રતા માટે આપણે સ્વાતંત્ર્ય સેનાનીઓનું ઋણી છીએ, જેમના કારણે ભાવિ પેઢીઓ ભારતની મુક્ત હવામાં શ્વાસ લઈ શકે છે. આ દિવસ આપણને તે તમામ બલિદાનની યાદ અપાવે છે, જેમણે આપણી માતૃભૂમિને બ્રિટિશ શાસનમાંથી મુક્ત કરવા માટે પોતાના જીવનનું બલિદાન અને સંઘર્ષ કર્યો હતો.

રાહુલ ગાંધી હંમેશા કહે છે કે, “તિરંગા હી મેરા ધર્મ હૈ” અને એજ દરેક કોંગ્રેસજનની વિચારધારા છે. રાષ્ટ્રપ્રેમ અને તિરંગા પ્રત્યે આદરભાવ એ દરેક કોંગ્રેસીના લોહીમાં વહે છે. આજે જ્યારે દેશમાં નફરત ફેલાવવા માટે દેશ વિરોધી તત્વો જ્યારે તક સાધી રહ્યાં છે ત્યારે દરેક કોંગ્રેસીજન ખેડૂતો માટે, મહિલાઓ માટે, યુવાનો માટે, દલિત, આદિવાસી, ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગ માટેના હક્ક અને અધિકારોની રક્ષાકાજે એક નવી આઝાદીની લડાઈ લડવા કટિબધ્ધ છે. આ ખાસ અવસર પર, ભારતના લોકો ભારતની આઝાદી હાંસલ કરવા માટે મહાપુરુષો અને મહિલાઓના નિઃસ્વાર્થ બલિદાન અને અપ્રતિમ યોગદાનને યાદ કરે છે. તે આપણને એ પણ યાદ અપાવે છે કે આપણા પૂર્વજોએ તેમની ફરજ બજાવી છે અને હવે તે આપણા હાથમાં છે કે આપણે આપણા દેશના ભાવિને કેવી રીતે આકાર આપી શકીએ અને ઘડી શકીએ. તેઓએ તેમની ભૂમિકા ભજવી છે અને તે ખરેખર સારી રીતે ભજવી છે. દેશ હવે આપણી તરફ જુએ છે કે આપણે આપણી ભૂમિકા કેવી રીતે નિભાવીએ છીએ.૭૭માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે રાજીવ ગાંધી ભવન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં ધ્વજવંદન પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, શ્રી જગદીશ ઠાકોર, શ્રી સિધ્ધાર્થ પટેલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, સાંસદ ડૉ. અમીબેન યાજ્ઞિક, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી નિરવ બક્ષી, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના નેતાશ્રી શહેઝાદખાન પઠાણ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ-આગેવાનો, સ્થાનિકોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. સેવાદળના સૈનિકોએ ધ્વજવંદનના કાર્યક્રમનું સંચાલન કર્યું હતું, એન.સી.સી.ના બાળકોએ દેશભક્તિની ધૂન ઉપર બેન્ડ વગાડીને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં વિશેષ રીતે જોડાયા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com