રાજકોટમાં મકાનમાંથી નિવૃત PSIનો મૃતદેહ મળી આવતાં પોલીસ દોડતી થઇ

Spread the love

રાજકોટમાં મકાનમાંથી નિવૃત PSIનો મૃતદેહ મળ્યો હોવાની ઘટના સામે આવી છે. રાજકોટની સહકાર સોસાયટીમાં આવેલા મકાનમાંથી આ મૃતદેહ મળ્યો છે. નિવૃત PSI એમ.એચ.ટાંકનો આ મૃતદેહ હોવાનું સામે આવ્યું છે. ભક્તિનગર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. PSI એકલા મકાનમાં રહેતા હતા તેવું પણ સામે આવ્યું છે. મકાનમાંથી દુર્ગંધ આવતા આસપાસના લોકોએ 108ને જાણ કરી હતી. ઘર ખોલી જોતાં તમ લોકો અચંભામાં મુકાયા હતા. ઘટનાને લઈ પોલીસને પ જાણ કરવામાં આવી જેથી તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે psi ના મૃતદેહને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ મૃતદેહને પોસમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. જે બાદ બીમારી સબબ આ મૃત્યુ થયું છે કે કોઈ અન્ય કારણ છે તેને લઈ તપાસ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com