ભાવનગરથી મથુરા જતા 12 યાત્રિકોને ટ્રકે કચડી નાખતા કમકમાટીભર્યા મોત

Spread the love

આજથી 23 દિવસ પહેલાં ભાવનગરના યાત્રિકોની બસ ઉત્તરાખંડમાં ખીણમાં ખાબકી હતી. જેમાં 7 યાત્રિકોનાં મોત નીપજ્યાં હતાં, જે અકસ્માત બાદનો માતમ હજુ ઠર્યો નથી ત્યાં આજે સવારે ભાવનગરથી મથુરા જતા 12 યાત્રિકોને ટ્રકે કચડી નાખતા કમકમાટીભર્યા મોત થયાં છે. મૃતકોમાં 7 મહિલાઓ અને 5 પુરુષોનો સમાવેશ થાય છે. તો આવો જાણીએ ચારધામની યાત્રાએ ગયેલા યાત્રીઓ સાથે 20 ઓગસ્ટે ઘટેલી સમગ્ર ઘટના વિશે કે જેણે ભાવનગર સહિત સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું…

પહેલાં કરીએ આજના અકસ્માત વિશે વાત
ભાવનગરથી બસમાં બેસીને યાત્રિકો મથુરા જઈ રહ્યા હતા. તે દરમિયાન ભરતપુર-આગ્રા હાઈવે પર સવારે બસની ડીઝલની પાઈપ અચાનક ફાટી ગઈ હતી. ડ્રાઈવર સાથે 10-12 જેટલા મુસાફરો બસમાંથી ઊતરી ગયા હતા. ડ્રાઇવર પાઇપ રિપેર કર્યા બાદ ડીઝલ લેવા ગયો. ત્યારે એક ટ્રકે બસને ટક્કર મારી અને નજીકમાં ઊભેલા લોકોને કચડીને આગળ વધી હતી. અકસ્માત બાદ મૃતદેહો હાઈવે પર વેરવિખેર થઈ ગયા હતા. ત્યાં હાજર લોકોએ દરેક મૃતદેહને રસ્તા વચ્ચેથી હટાવીને એક બાજુએ રાખ્યા. સાથે જ હાઈવે પણ જામ થઈ ગયો હતો. અન્ય વાહનોના ચાલકોએ રસ્તા પર મૃત લોકોને પડેલા જોતાં પોલીસને ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી હતી. તમામના મૃતદેહને ભરતપુર જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે.

રાજસ્થાનના ભરતપુરમાં આ ભયંકર અકસ્માત થયો હતો. જેમાં 12 લોકોનાં મોત થયાં છે. આ અકસ્માતમાં 12થી વધુ લોકો ઘાયલ થયા છે. આ તમામ મૃતક ભાવનગર જિલ્લાના રહેવાસી છે. જેઓ ભાવનગરથી મથુરા જઈ રહ્યા હતા. ત્યારે ભરતપુર-આગ્રા હાઈવે પર અકસ્માતનો ભોગ બન્યા હતા. આ અકસ્માત લખનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના આગ્રા-જયપુર નેશનલ હાઈવે-21 પર હંતારા પાસે સવારે 5:30 વાગ્યે થયો હતો. મૃત્યુ પામેલાઓમાં 7 મહિલાઓ અને 5 પુરુષો હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com