અમદાવાદ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શુક્રવાર, 27 ઓક્ટોબર, 2023 ના રોજ સાબરમતી રેલ્વે સ્ટેશન ખાતે”મેરી માટી મેરા દેશ”માંથી અભિયાન હેઠળ અમૃત કલશ યાત્રા ટ્રેન ફ્લેગ ઓફ કરીને રવાના કરી . આ પ્રસંગે અમદાવાદ મંડળની વિભાગીય રેલ્વેમે મેનેજર સુધીર કુમાર શર્મા, સિનિયર વાણિજ્ય વિભાગ મેનેજર પવનકુમાર સિંઘ, સિનિયર વિભાગીય ઈજનેર વિકાસ ગઢવાલ તેમજ રેલ્વે અને રાજ્ય સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.“મેરી માટી મેરા દેશ” અભિયાન હેઠળ અમૃત કલશ યાત્રા ટ્રેનના સહભાગીઓની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ સાબરમતી-ગુડગાંવ વચ્ચે એક વિશેષ ટ્રેન ચલાવી છે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાબરમતીથી અમૃત કલશ યાત્રા ટ્રેનને લીલી ઝંડી બતાવી. ટ્રેનના પ્રસ્થાન પહેલા, શ્રી પટેલે સહભાગીઓ સાથે વાર્તાલાપ કર્યો અને તેઓને તેમની મુસાફરી માટે શુભેચ્છા પાઠવી અને અન્ય મહાનુભાવોની હાજરીમાં ટ્રેનને લીલી ઝંડી આપી.