સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને ડૉ. બાબાસાહેબ આંબેડકર ફાઉન્ડેશન મ્યુઝિયમના ફેઝ-૩ની કામગીરી અંગેની બેઠક યોજાઈ

Spread the love

અમદાવાદ

ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને ડો. બાબાસાહેબ આંબેડકર ફાઉન્ડેશન મ્યુઝિયમના ફેઝ-૩ની કામગીરી અંગેની બેઠક અમદાવાદમાં રાણીપ ખાતે યોજાઈ હતી. જેમાં મંત્રી  ભાનુબેન બાબરીયાએ ડૉ. બાબાસાહેબ આંબેડકર મ્યુઝિયમની મુલાકાત લઈ માહિતી પ્રાપ્ત કરી હતી અને વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ સાથે ફેઝ -૩ અંગેની કામગીરીની ચર્ચા-વિચારણા કરી હતી. આ બેઠકમાં અનુસૂચિત જાતિ કલ્યાણ નિયામક શ્રી રચિત રાજ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના નાયબ સચિવ શ્રી જીગર પટેલ, કાર્યપાલક ઇજનેર શ્રી કૃણાલ પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી ચિરાગ દેસાઈ, અનુસૂચિત જાતિ કલ્યાણ, અમદાવાદના નાયબ નિયામક શ્રી પી.વી. સાવલિયા તથા વામા કમ્યૂનિકેશન, અમદાવાદના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *