સરખેજ ગાંધીનગર હાઇવેનાં ઉજાલા સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ સુધી કાલે સફાઈ ઝુંબેશ કાર્યક્રમમાં સવારે ૮ કલાકેથી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી જોડાશે

Spread the love

અમદાવાદ

ગુજરાત સરકારનાં સ્વચ્છતા હી સેવા થીમ હેઠળ શરૂ કરવામાં આવેલ ૬૦ દિવસ સફાઈ ઝુંબેશ કાર્યક્રમનાં ભાગરૂપે સ્વચ્છતાનાં અભિયાનને વેગવંતી બનાવવાનાં હેતુસર કાર્યક્રમ અંતર્ગત જુદા-જુદા સઘન જનજાગૃતિ અને સફાઇ ઝુંબેશ કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ છે. જેમાં અમદાવાદ શહેરનાં સરખેજ ગાંધીનગર હાઇવેનાં ઉજાલા સર્કલ થી વૈષ્ણોદેવી સર્કલ સુધી તા.૨૫ અને ૨૬ નવેમ્બર ૨૦૨૩ દરમ્યાન ખાસ સફાઈ ઝુંબેશ સવારે ૮.૦૦ કલાકે થી શરૂ કરવામાં આવશે. સદર કાર્યક્રમમાં ગુજરાત સરકારનાં માન.ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી, શહેરનાં માન.મેયર શ્રી પ્રતિભાબેન જૈન, માન.પ્રભારી, શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, માન.ધારાસભ્યશ્રીઓ, મ્યુનિ કાઉન્સીલરશ્રીઓ તેમજ મ્યુનિ.કોર્પોરેશનનાં અધિકારીશ્રીઓ અને મહાનુભાવો તથા એન.જી.ઓ., મ્યુ. સ્કુલ બોર્ડ જેવી સંસ્થાઓનો સાથ સહકાર મેળવી તા.૨૫/૧૧/૨૦૨૩ નાં સવારે ૮.૦૦ કલાકે બોડકદેવ પકવાન ચાર રસ્તાથી સફાઈ ઝુંબેશ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. આ અભિયાનમાં વિવિધ સંસ્થાના ૪૧૦૦ જેટલા પ્રતિનિધિઓ જોડાશે તથા કુલ ૧૦૧ વાહનો, સાધનો ઉપયોગમાં લેવામાં આવશે. આ સફાઈની કામગીરી કરી જનજાગૃતિ અભિયાન કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com