મધ્યપ્રદેશના ગુના નજીક ખાનગી બસમાં આગ ફાટી નીકળતા 13 પ્રવાસીઓ જીવતા ભડથુ થઇ ગયા, 7 લોકોના મૃતદેહો એકબીજા સાથે ચોંટી ગયા

Spread the love

મધ્યપ્રદેશના ગુના નજીક ભીષણ અકસ્માત બાદ ખાનગી બસમાં આગ ફાટી નીકળતા 13 પ્રવાસીઓ જીવતા ભડથુ થઇ ગયા હતા અને અન્ય 17 ઘાયલ થયા હતા. ભાજપના નેતાની માલીકીની સિકરવાર ટ્રાવેલ્સની બસ ડમ્પર સાથે અથડાયા બાદ ઉંધી વળી ગઇ હતી અને આગમાં લપેટાઇ ગઇ હતી.અકસ્માત એટલો ભયાનક હતો અને આગ એટલી ભયંકર હતી કે બસમાંથી લોકો બહાર પણ નીકળી શકયા ન હતા.

13માંથી 7 લોકોના મૃતદેહો એકબીજા સાથે ચોંટી ગયા હતા. ચહેરા-આખા શરીર સળગી ગયા હોવાથી મુસાફરોની ઓળખ પણ મુશ્કેલ બની હતી. કલેક્ટર અને એસપી ઘટનાસ્થળે દોડી ગયા હતા. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીએ મૃતકોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી. ગુનામાં ડમ્પર અને બસ વચ્ચેની ટક્કર બાદ આ અકસ્માત થયો હતો. શરૂઆતમાં 7 લોકોના મોતના સમાચાર હતા, પરંતુ ધીરે ધીરે મૃતકોની સંખ્યા વધતી ગઈ. કલેકટરે કહ્યું કે, 17 ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, અને તેઓ સુરક્ષિત છે. અકસ્માત કેવી રીતે થયો તે અંગે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, ડમ્પર સાથે અથડાયા બાદ બસ પલટી ખાઈને રોડની નીચે પડી ગઈ હતી અને તરત જ આગ લાગી ગઈ હતી. આગ એટલી ભયંકર હતી કે ઘણા મુસાફરો તેનો શિકાર બન્યા હતા અને બળીને ખાખ થઈ ગયા હતા. અકસ્માતમાં ઘાયલ 17 લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જેમની ત્યાં સારવાર ચાલી રહી છે.ઘણા મૃતદેહો ખરાબ રીતે દાઝી ગયા છે, અને તેમના ચહેરા જોઈને તેમની ઓળખ કરવી શક્ય નથી.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com

Your browser is blocking some features of this website. Please follow the instructions at http://support.heateor.com/browser-blocking-social-features/ to unblock these.