મણિપુરમાં ફરી હિંસાની ઘટના સામે આવી છે. કુકી ઉગ્રવાદીઓએ શુક્રવાર મોડી રાત્રે CRPF પર હુમલો કર્યો છે જેમાં બે જવાન શહીદ થયા છે.
આ ઘટના અંગે જાણકારી આપતા મણિપુર પોલીસે જણાવ્યું કે શુક્રવાર મોડી રાત્રે સવા 2 વાગ્યે કુકી ઉગ્રવાદીઓના હુમલામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ના બે જવાન શહીદ થયા છે. આ બન્ને જવાન મણિપુરના બિષ્ણુપુર જિલ્લાના નારાનસેના વિસ્તારમાં તૈનાત CRPFની 128મી બટાલિયનના હતા.