રીબડાના રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાની અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના ગુજરાત રાજ્ય યુવા અધ્યક્ષ તરીકે નિમણૂક થતાં ક્ષત્રિય અગ્રણીઓ સહિતનાએ શુભેચ્છાઓ પાઠવી હતી.
રીબડા ના રાજદીપસિંહ જાડેજાએ આરએઆર ફાઉન્ડેશનની સ્થાપના કરી વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ કરતાં હોય છે તાજેતરમાં પ્રથમ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવામાં આવી હતી આરએઆર ફાઉન્ડેશનના સંસ્થાપક રાજદિપસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા રીબડાના માર્ગદર્શન હેઠળ ફાઉન્ડેશનના સભ્યો દ્વારા ગુજરાતના 33 જીલ્લાઓ તેમજ વિવિધ તાલુકાઓમાં 11000 વૃક્ષારોપણ સરકારી શાળામાં વિદ્યાર્થીઓને બૂક વિતરણ સરકારી સારવાર કેન્દ્રમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ જેવાં અનેક સેવાનાં કાર્યો કરી આરએઆર ફાઉન્ડેશનએ પ્રથમ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવામાં આવી હતી.
ગુજરાતમાં બહોળા સભ્યો અને મિત્ર વર્ગ ધરાવતા રાજદીપસિંહ જાડેજાની અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના ગુજરાત રાજ્ય યુવા અધ્યક્ષ તરીકે નિમણૂક થતાં શુભેચ્છાઓનો ધોધ વર્ષી રહ્યો છે.