રશિયામાં IK-19 સુરોવિકિનો જેલમાં કેદીઓ વચ્ચે ઘર્ષણ, ચાર હુમલાખોરોના મોત

Spread the love

રશિયાના વોલ્ગોગ્રાડ વિસ્તારમાં સ્થિત IK-19 સુરોવિકિનો જેલમાં કેદીઓ વચ્ચે સંઘર્ષ થયો હતો. ચાર કેદીઓએ જેલ સ્ટાફને બાનમાં લીધા હતો. આ કેદીઓ ઈસ્લામિક સ્ટેટ (ISIS) સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. આ ઘટનામાં ચાર હુમલાખોરોના મોત થયા છે, જ્યારે તમામ બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે.

આ ઘટના શુક્રવારે બની હતી, જ્યારે એક મીટિંગ દરમિયાન સ્ટાફના કેટલાક સભ્યો પર કેદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ કર્મચારીઓ પર છરી વડે હુમલો કર્યો, જેમાં ત્રણ ગાર્ડની હત્યા કરી દીધી. આ હુમલા દરમિયાન હુમલાખોરોએ બંધકો સાથેનો એક વીડિયો પણ જાહેર કર્યો હતો, જેમાં તેઓએ પોતાની ઓળખ ઈસ્લામિક સ્ટેટ સાથે જોડી હતી. તેમણે કહ્યું કે આ હુમલો રશિયા દ્વારા મુસ્લિમો પર કરવામાં આવેલા અત્યાચારનો બદલો લેવા માટે કરવામાં આવ્યો છે.

પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે, રશિયાના વિશેષ દળોએ એક ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં ચારેય હુમલાખોરો માર્યા ગયા હતા. ઉઝબેકિસ્તાન અને તાજિકિસ્તાનના વતની ચારેય લોકોએ ચાકુ વડે ગાર્ડ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં અન્ય ચાર ગાર્ડ પણ ઘાયલ થયા છે. તે જ સમયે, જેલમાં આ ઘટના પછી રશિયામાં વંશીય તણાવ વધી ગયો છે.

ખાસ કરીને માર્ચમાં એક મ્યુઝિક ફેસ્ટિવલ પર થયેલા આતંકવાદી હુમલા બાદ તણાવ વધ્યો હતો જેમાં 145 લોકોએ જીવ ગુમાવ્યા હતા. વોલ્ગોગ્રાડના ગવર્નર એન્ડ્રે બોચારોવે જણાવ્યું હતું કે હુમલાખોરોની ઓળખ હજુ સ્પષ્ટ નથી.

મહત્વનું છે કે, રશિયાની IK-19 જેલ ઉચ્ચ સુરક્ષાવાળી જેલ છે, જેમાં લગભગ 1200 કેદીઓ છે. આ બીજી વખત છે જ્યારે ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા કેદીઓએ બંધક બનાવવાનો પ્રયાસ કર્યો છે. અગાઉ જૂનમાં પણ રોસ્ટોવ વિસ્તારમાં આવો જ એક કેસ નોંધાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com