
હવામાન વિભાગ દ્વારા ખેલૈયાઓને માઠા સમાચાર આપવામાં આવ્યા છે, કારણ કે હવામાન વિભાગની આગામી સપ્ટેમ્બર મહિનાની આગાહી મુજબ 23 તારીખથી બંગાળની ખાડી અને અરબ સાગરમાં સર્જાતાં સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદનું જોર વધશે, એટલે કે ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસવાની શક્યતા રહેશે. જો આગાહી મુજબ નવરાત્રિમાં વરસાદી માહોલ સર્જાયો તો ગુજરાતવાસીઓની નવરાત્રિના રંગમાં ભંગ પડી શકે છે, એટલે કે ખેલૈયાઓએ વરસાદમાં ગરબે ઘૂમવાની ફરજ પડી શકે છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ એટલે કે, 1થી 7 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે.
સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છુટા-છવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા મુજબ, 3 સપ્ટેમ્બરથી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે, જેના કારણે રાજ્યના અમુક જિલ્લાઓમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી વરસાદ અપર એર સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ અને લો પ્રેસર સિસ્ટમ સક્રિય થવાને કારણે થશે. આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સક્રિય થવાની શક્યતા છે.
આ સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાતના માછીમારોને આજે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આજે સવારના 6થી 12 વાગ્યા સુધીમાં રાજ્યના 43 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દાહોદના ઝાલોદમાં 1.34 ઈંચ તો સૌથી ઓછો વલસાડના વાપીમાં 1 મિમી વરસાદ નોંધાયો છે. આ સીઝનમાં સૌથી વધુ વરસાદ જૂનમાં 12.12 ઈંચ, જુલાઈમાં 10 ઈંચ અને ઓગસ્ટમાં 10 ઈંચ સાથે ગુજરાતમાં સરેરાશ 32 ઈંચ વરસાદ નોંધાયો છે. IMDના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બર દરમિયાન ભૌગોલિક રીતે દેશના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની સંભાવના છે, જેમાં ગુજરાત રાજ્યનો પણ સમાવેશ થાય છે.
રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં 109% વરસાદ થવાની શક્યતા છે. 2 સપ્ટેમ્બરની આસપાસ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં એક નવો લો-પ્રેશર વિસ્તાર બનવાની શક્યતા છે, જેથી 2 સપ્ટેમ્બર બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે. ત્યાર બાદ ફરી વરસાદનું જોર ઘટશે અને સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયા દરમિયાન બંગાળની ખાડીમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાને કારણે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં, એટલે કે 1થી 7 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે. બંગાળની ખાડીમાં નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે શરૂઆતના દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદ રહેવાની સંભાવના છે. ત્યાર બાદ 8થી 15 સપ્ટેમ્બર અને 16થી 22 સપ્ટેમ્બર, એટલે કે બીજા અને ત્રીજા અઠવાડિયામાં વરસાદ એકદમ સામાન્ય અથવા તો નહિવત રહેશે, જોકે મહિનાના છેલ્લા અઠવાડિયામાં, એટલે કે 23થી 30 સપ્ટેમ્બર દરમિયાન ફરીથી વરસાદનું જોર વધશે, જેનું મુખ્ય કારણ અરબ સાગર અને બંગાળની ખાડીમાં સર્જાતા સાઇક્લોનિક સર્ક્યુલેશન છે.
નોંધનીય છે કે આ વર્ષે 22 સપ્ટેમ્બરથી નવરાત્રિ શરુ થશે અને ગુજરાતમાં આ તહેવારની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે જો હવામાનની આગાહી મુજબ નવરાત્રિના દિવસો દરમિયાન વરસાદી માહોલ રહેશે તો ખેલૈયાઓની મજા બગડી શકે છે. એના પગલે ખેલૈયાઓએ છત્રી-રેઈનકોટની તૈયારી સાથે ગરબા રમવા જવું પડશે. હવામાન વિભાગે આગામી 7 દિવસ એટલે કે, 1થી 7 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા મુજબ, 3 સપ્ટેમ્બરથી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે, જેના કારણે રાજ્યના અમુક જિલ્લાઓમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી વરસાદ અપર એર સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ અને લો પ્રેસર સિસ્ટમ સક્રિય થવાને કારણે થશે. આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સક્રિય થવાની શક્યતા છે. આ સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાતના માછીમારોને આજે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.