મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી શનિવારે બનાસકાંઠા અને રવિવારે ભાવનગર ની રૂબરૂ મુલાકાત લેશે

Spread the love

મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ કોરોના સંક્રમણ ની પ્રવર્તમાન સ્થિતિ માં નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન ભાઈ પટેલ અને રાજયના વરિષ્ઠ સચિવોના કોર ગ્રુપ સાથે રાજયના વિવિધ જિલ્લા અને શહેરોમાં કોરોના ની સ્થિતિની સમીક્ષા અને સ્થાનિક વહીવટી તંત્રના માર્ગદર્શન માટે પ્રત્યક્ષ મુલાકાતનો ઉપક્રમ શરૂ કરેલો છે.
આ ઉપક્રમ માં મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી અને કોર ગ્રુપ આવતીકાલે તા.15 મે 2021ના રોજ સવારે પાલનપુર બનાસકાંઠા ની અને રવિવારે 16 મી મેં એ સવારેે ભાવનગર ની મુલાકાત લેવાના છે
મુખ્યમંત્રી શ્રી આ મુલાકાત અંર્તગત શનિવારે સવારે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને બનાસકાંઠા જિલ્લાની તેમજ તારીખ 16 મી મેં રવિવારે સવારે ભાવનગર કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને ભાવનગર શહેર અને જિલ્લાની કોરોનાની પરિસ્થિતિનું આકલન કરીને આ બેય જિલ્લાઓ ની સર્વગ્રાહી સમીક્ષા કરી સ્થાનિક વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપશે
મુખ્ય સચિવશ્રી અનિલ મુકિમ મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસ નાથન આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતિ રવી પણ આ બેય સ્થળો એ મુખ્યમંત્રીશ્રી સાથે મુલાકાતમાં જોડાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના પ્રભાવિત ગુજરાતના મોટા શહેરો અને જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિ અને તેના ઝડપી નિયંત્રણ માટે મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને કોર ગ્રુપ દ્વારા વિવિધ શહેરોની રૂબરૂ મુલાકાત લઈને સ્થળ ઉપર સમીક્ષા કરી સ્થાનિક પરિસ્થિતિ મુજબ જરૂરી માર્ગદર્શન અને નિર્ણયો કરવામાં આવે છે
મુખ્યમંત્રીશ્રી અને કોર ગ્રુપ ના વરિષ્ઠ સભ્યોએ અગાઉ મોરબી, રાજકોટ,પાટણ, જામનગર,કચ્છ, જૂનાગઢ અને દાહોદ વગેરે જિલ્લામાં બેઠક પૂર્ણ કરી વહીવટી તંત્રને જરૂરી સૂચનો કરેલા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com