બજેટમાં ઇન્કમટેક્સને લઇને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. નિર્મલા સીતારમણે જણાવ્યું કે 1લી એપ્રિલથી લાગુ થશે નવો ઇન્કમટેક્સ કાયદો લાગુ થશે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે આવકવેરો ભરવાનું સરળ બનશે. મોટર અકસ્માતના દાવાઓ હવે વ્યાજને પાત્ર રહેશે નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે વિદેશ યાત્રા સસ્તી થશે. પેકેજ પેકેજો પરના કરમાં ઘટાડો થશે.
ITR 1 અને 2 માટે રિટર્ન હવે 31 જુલાઈ સુધી ફાઇલ કરી શકાય છે. અગાઉ, અંતિમ તારીખ 31 ડિસેમ્બર હતી.
નવો ઇન્કમટેક્સ કાયદો 1લી એપ્રિલથી કરાશે લાગું
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં એક મોટી જાહેરાત કરી હતી, જેમાં જણાવ્યું હતું કે વિદેશી મુસાફરી કાર્યક્રમ પેકેજોના વેચાણ પર TCS દર હવે 2% રહેશે, જે પહેલા 5% અને 20% હતો. આ માટે કોઈ નાણાકીય જરૂરિયાત રહેશે નહીં. તેમણે એમ પણ જણાવ્યું હતું કે મોટર અકસ્માત દાવા ટ્રિબ્યુનલ્સમાંથી વ્યક્તિઓને મળતું વ્યાજ હવે આવકવેરાને આધીન રહેશે નહીં, અને TDS પણ કાપવામાં આવશે નહીં.
ઇન્કમટેક્સને લઇને મહત્વની જાહેરાત શું કરવામાં આવી ?
- નોમિનલ ફીની સાથે રિટર્ન રિવાઇસ કરી શકાશે
- આઇટીઆર 1-2માં 31 જુલાઇ સુધી રિટર્ન ભરી શકાશે
- નાના કરદાતાઓ માટે વન ટાઇમ ફોરેન એસેટ ડિસ્ક્લોઝર
- નાના કરદાતાઓ માટેની સમસ્યાઓ દૂર થશે
- 31 જુલાઇ સુધી ભરી શકાશે રિટર્ન
- ઈનકમ ટેક્સ ભરવું હવે વધુ સરળ
- વિદેશ પ્રવાસ કરવો હવે સસ્તો
- વિદેશ પ્રવાસ પર TCSથી 5 ટકાથી ઘટાડી 2 ટકા કર્યો
- 6 મહિનાની ફોરેન એસેટ ડિસ્કોલઝર સ્કીમની જાહેરાત
- વિદેશી સંપત્તિની જાહેરાત ના કરી હોય તેવા લોકો માટે સ્કીમ
- નોમિનલ ફિ સાથે રિટર્ન રિવાઈઝ
- ITR-1-2માં 31 જુલાઈ સુધી રિટર્ન શક્ય
- સામાન્ય દંડ સાથે રિટર્ન રિવાઈઝ ભરી શકાશે
- મોટર એક્સિડન્ટ ક્લેઈમમાં કોઈ વ્યાજ નહીં
- નાના કરદાતાઓને મળશે મોટી રાહત
- ટેક્સમાં ગડબડ પર સજા નહીં હવે થશે દંડ
- નાના ટેક્સ ગુનાઓ માટે હવે માત્ર દંડની જોગવાઈ
- 1 ઓક્ટેબર 2026થી દંડ મુક્તિ જોગવાઈ લાગુ
- હવે PAN દ્વારા સંપત્તિ વેચી શકશે NRI
- સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદામાં પણ કોઈ વધારો નહીં