
અંબાજીમાં તળાવમાં નહાવા પડેલા બે સગા ભાઈઓ સહિત 3 બાળકોના કરુણ મોત
મળતી માહિતી અનુસાર, અંબાજી પાસે રિછડી તળાવમાં ડૂબી જવાથી બે સગા ભાઈઓ સહિત ત્રણ બાળકોના મોત થયા હતા. ચોંકાવનારી વાત એમ છે કે, ત્રણેય માસૂમ બાળકોની ઉંમર 10 વર્ષથી પણ ઓછી હોવાનું જાણવા મળ્યું છે.
બાળકોના કરૂણ મોતને પગલે પરિવારજનોમાં શોક છવાયો છે. જેમાં એક જ ઘરના બે સગા ભાઈના મૃત્યુ થતા માતા-પિતા સહિત પરિવારજનો હિબકે ચડ્યા છે. સમગ્ર ઘટના પાછળ સ્થાનિકોએ તળાવના વિકાસના કામો કરી રહેલા કોન્ટ્રાક્ટરની બેદરકારી આક્ષેપ કર્યો છે. બાળકો ડૂબવાની જાણ થતા તલાટી અને સ્થાનિક અગ્રણી એકઠા થઈ ગયા હતા.
મૃતકોના નામ
– સતુભાઈ રાઠોડ
– વિપુલભાઈ રાઠોડ
– બચુભાઈ તરાલ