આજે વિશ્વભરમાં ન્યુમોનિયા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસ વિશ્વભરમાં દર વર્ષે 12 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસની શરૂઆત સૌ પ્રથમ સંયુક્ત રાષ્ટ્ર (યુએન) દ્વારા 12 નવેમ્બર 2009 ના રોજ કરવામાં આવી હતી. જેનો હેતુ સમગ્ર વિશ્વના લોકોમાં ન્યુમોનિયા વિશે જાગૃતિ લાવવાનો હતો.
ન્યુમોનિયા શું છે- ન્યુમોનિયા એ શ્વસન રોગનો ગંભીર રોગ છે જે ફેફસામાં ચેપનાં કારણે આ રોગ સર્જાય છે. જ્યારે ન્યુમોનિયા હોય છે, ત્યારે ફેફસાંમાં સોજો આવે છે અને કેટલીક વાર પાણી પણ ભરાઈ જાય છે.
ન્યુમોનિયા કેમ થાય છે? ન્યુમોનિયા મોટાભાગે બેક્ટેરિયા, વાયરસ અથવા ફંગલ ઇન્ફેક્શનને લીધે થાય છે. આ મોટેભાગે હવામાનમાં પરિવર્તન, શરદી, ફેફસામાં ઈજા સર્જાય અથવા ચિકન પોક્સ જેવા રોગો પછી સાથે સાથે અતિશય પ્રદૂષણને લીધે કેટલીકવાર ન્યુમોનિયા પણ થઈ શકે છે.
ન્યુમોનિયા હોય ત્યારે આ બાબતોને ટાળો.
1-તમને જેની એલર્જી હોય તેવી વસ્તુઓનું સેવન કરવાનું ટાળો.
2- ન્યુમોનિયાથી પીડિત વ્યક્તિએ વધુ મીઠાઇઓનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
3-આહારમાં ખાસ કરીને પ્રોસેસ્ડ ખોરાક અને સોફ્ટ ડ્રિંક્સ ટાળો.
4-દૂધ અને ડેરી ઉત્પાદનોનું સેવન ન કરો કારણ કે આ બધી વસ્તુઓ શરીરમાં લાળ વધારવાનું કામ કરે છે.
5 – આહારમાં કૃત્રિમ રંગ, સ્વાદ અથવા કેફીન શામેલ હોવું જોઈએ નહીં.