જવાને પોતાના જ કંપની કમાન્ડરની હત્યા કરીને આત્મહત્યા કરી

Spread the love

સેનાના જવાનો વચ્ચે ફરી એક વખત હિંસક અથડામણ થઈ હોવાની જાણકારી મળી છે. રાંચીમાં ખેલગામ સ્થિત સીઆરપીએફ કેમ્પમાં છત્તીસગઢ આર્મ ફોર્સના એક જવાને પોતાના જ કંપની કમાન્ડરની ગોળી મારીને હત્યા કરી દીધી છે. હત્યા બાદ જવાને પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના ઝારખંડમાં જવાન ચૂંટણીની ફરજ પર હતા ત્યારે ઘટી હતી.  આ અગાઉ છત્તીસગઢમાં જવાનો વચ્ચે થયેલી ઝપાઝપીમાં છ જવાનોના મોત થયા હતા. પ્રાપ્ય જાણકારી અનુસાર સીઆરપીએફ કેમ્પમાં છત્તીસગઢ આર્મ ફોર્સના જવાન પોતાના જ કંપની કમાન્ડરની કોઈ વાત પર ગુસ્સે થઈ ગયા હતા. આ તકરારમાં જવાને કંપની કમાન્ડર પર ગોળી ચલાવી દીધી હતી. કંપની કમાન્ડરે ગોળી માર્યા બાદ જવાને પોતાને પણ ગોળી મારી દીધી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *