આપ પાર્ટીના ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા સહીતના પ્રદેશ નેતા અને કાર્યકર્તાઓ એ ભગવાન શ્રી જગન્નાથના દર્શન કર્યા

Spread the love

 

દેશવાસીઓની સુખ-સમૃદ્ધિ સતત વધે એવી ભગવાન જગન્નાથને પ્રાર્થના: ઇસુદાન ગઢવી

અમદાવાદ

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી, ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ ખજાનચી કૈલાશદાન ગઢવી, અમદાવાદ જિલ્લા પ્રમુખ જે. જે. મેવાડા સહિત સંગઠનના નેતા અને કાર્યકર્તાઓ પ્રદેશ કાર્યાલયથી પદયાત્રા કાઢીને જમાલપુરમાં શ્રી જગન્નાથ ભગવાનના મંદિરે દર્શન માટે ગયા હતા. આમ આદમી પાર્ટી દ્વારા જગન્નાથ ભગવાન, ભગવાન બલરામ, દેવી સુભદ્રા ને ગુજરાત તથા સમગ્ર દેશના લોકોને સમૃદ્ધિ તથા દીર્ઘાયુ આપે એવી પ્રાર્થના સાથે પ્રભુના દર્શન કર્યા. તેઓએ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ ને પણ મળ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા.આમ આદમી પાર્ટીના દરેક નેતા અને કાર્યકર્તાઓએ જગન્નાથ ભગવાનને પ્રસાદ ચડાવીને હાથ જોડીને ગુજરાતની અને સર્વ દેશની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. આમ આદમી પાર્ટી એ પરિવર્તન ની જે પહેલ કરી છે તે સંપૂર્ણપણે ગુજરાત ના ઘર ઘર સુધી પહોંચે અને જેવી રીતે અત્યાર સુધી ગુજરાતની દરેક જનતા એ આમ આદમી પાર્ટી ને સમર્થન આપ્યું છે એમ જ આગળ આપતી રહે તેવા આશીર્વાદ જગન્નાથ ભગવાન પાસેથી લીધા.

આમ આદમી પાર્ટી ના દરેક નેતા અને કાર્યકર્તાઓ જગન્નાથ ભગવાનની સાક્ષીમાં પ્રણ લીધો કે જેમ અત્યાર સુધી એમને ગુજરાતમાં લોકકલ્યાણ માટે રાત દિવસ મહેનત કરી છે, તેમ આગળ પણ કરતા રહેશે. ગુજરાતની જનતા સુખ સમૃદ્ધિથી સુશાસન માં જીવન વ્યતીત કરે અને ગુજરાત ની જનતા ના દરેક અધિકાર તેમને મળી રહે તે માટે જે કઈ પણ જરૂરી પગલાં ઉઠાવવા પડશે તે ઉઠાવશે. જેમ જનતા એ આમ આદમી પાર્ટી ને સહયોગ કરવાનું નથી છોડ્યું એમ આમ આદમી પાર્ટી પણ જનકલ્યાણ માટે કાર્યો કરવાનું નહિ છોડે.

આમ આદમી પાર્ટી ની આ જ વિચાર ધારણા જે દિલ્હી થી શરુ થઇ છે તે ગુજરાત થી લઈને સમગ્ર દેશના ખૂણે-ખૂણે પહોંચે અને દેશ નું દરેક નાગરિક એવા સુશાસન નો લાભ લઇ શકે તેવી પ્રાર્થના સાથે આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓએ જગન્નાથ ભગવાન ના મંદિર થી રજા લીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com