કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ડેડીયાપાડા, ઓલપાડ, સોમવારે અમદાવાદ ,જગદીશ ઠાકોરની કાલે ધાંગધ્રા , લાઠી,ભુપેશ બઘેલની કાલે સૌરાષ્ટ્રમાં ચાર,બી.કે. હરીપ્રસાદ ખોખરામાં કાલે પ્રચંડ જાહેરસભાને સંબોધશે
અમદાવાદ
કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કાલે રવિવારે ડેડીયાપાડા ખાતે બપોરે પોણા ત્રણ વાગ્યે અને ઓલપાડમાં સાડા ચાર વાગ્યે જનસભાને સંબોધન કરશે. અને ૨૮ મી એ સોમવારે મલ્લિકાર્જુન ખડગે કડી વિધાનસભા ખાતે સાંજે પાંચ વાગ્યે અને અમદાવાદનાં બહેરામપૂરા વિસ્તારમાં સાંજે આઠ વાગ્યે જનસભાને સંબોધન કરશે .
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર 27મી નવેમ્બર 2022 નાં રોજ એટલે કે કાલે રવિવારે ધાંગધ્રા વિધાનસભા ખાતે સવારે ૧૦:૩૦ વાગ્યે ચરમારીયા ગ્રાઉન્ડ જિંદગી હોસ્પિટલ સામે અને લાઠી વિધાનસભામાં બપોરે ૨ વાગ્યે કોળી સમાજ ની વાડી, મુ. ખંભાળા, તા. બાબરા જી. અમરેલી ખાતે લાઈવ જનસભા ને સંબોધન કરશે.
છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલ ગુજરાતનાં ૧૨૫થી વધુ બેઠક સાથે ‘જનતાની સરકાર’ બનાવે તે સંકલ્પ સાથે સૌરાષ્ટ્રમાં ચાર પ્રચંડ જનસભા આવતીકાલે રવિવારે સંબોધશે.પાલીતાણામાં પ્રચંડ જનસભા સવારે ૧૧ વાગ્યે , મહુવામાં બપોરે ૧ કલાકે તળાજામાં બપોરે ૨:૪૫ કલાકે ભાવનગરમાં સાંજે ૭ કલાકે યોજાશે.
કોંગ્રેસના મણિનગર વિધાનસભાના સ્થાનિક કાઁગ્રેસના ઉમેદવાર સી.એમ. રાજપૂત ના ચૂંટણી પ્રચાર અર્થે એક જંગી જાહેરસભાનું તા.૨૭-૧૧-૨૦૨૨નાં રોજ કાલે રવિવારે સાંજે ૭ કલાકે ખોખરા સર્કલનું આયોજન કરવામાં આવેલ છે જેમાં અખિલ ભારતીય કોંગ્રેસના મહામંત્રી અને પૂવૅ સાંસદ બી.કે. હરીપ્રસાદ તેમજ તેલંગાના રાજ્યના કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ કુસુમ કુમાર જેટી ખાસ રસ ઉપસ્થિત રહેશે.