જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ પરનો અસહ્ય ભાવ વધારામાંથી જનતાને રાહત આપો : કોંગ્રેસ પ્રવકતા હિરેન બેંકર

Spread the love

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા હિરેન બેંકર

મોઘવારીના મારથી લડવા ભાજપ સરકારનું નવું સૂત્ર ‘ઓછુ બનાવો ઓછું ખાવો,ભાષણથી ભૂખ મિટાવો’: છેલ્લા ત્રણ દિવસમાં સિંગતેલના ભાવમાં ૧૫૦ જેટલો રૂપિયાનો વધારો

અમદાવાદ

ચારેબાજુ મોઘવારી,ભયંકર બેરોજગારી, આર્થિક અસમાનતા, ધંધા રોજગારમાં ભીષણ મંદી સહીતની મુશ્કેલીઓમાંથી રાહત આપવાને બદલે લોટ, તેલ સહીતની જીવન જરૂરિયાત ચીજવસ્તુઓમાં સતત ભાવ વધારાથી ગુજરાતની જનતા પીસાઈ રહી છે ત્યારે ‘અચ્છે દિન’ અને ‘બહુત હુઈ મહેગાઈ કી માર’ જેવા જુઠ્ઠા સુત્રો આપતી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા હિરેન બેંકરએ જણાવ્યું હતું કે રોજીંદા જીવનજરૂરીયાત ચીજવસ્તુઓના ભાવ આસમાને થયા છે. ખાદ્યતેલના ભાવમાં છેલ્લા ત્રણ દિવસમાં ૧૫૦ રૂપિયાના થયેલા ભડકાથી સામાન્ય – મધ્યમવર્ગનું બજેટ ખોરવી નાખ્યું છે. ગરીબ, સામાન્ય અને મધ્યમવર્ગે શું ખાવું ? તે પ્રશ્ન છે. મોઘવારીનો મારથી લડવા ભાજપ સરકારનું નવું સૂત્ર ‘ઓછુ બનાવો ઓછું ખાવો, ભાષણથી ભૂખ મિટાવો’ હોય તે રીતે જીવન જીવવું મુશ્કેલ બનાવી દીધું છે. રાજ્યમાં લગ્નની સિઝન અને ધાર્મિક તહેવારો ચાલી રહી છે એવામાં સિંગતેલ સહીત અન્ય ચીજવસ્તુમાં અસહ્ય ભાવ વધારો અને બીજી બાજુ સતત ઘટતી જતી આવકમાં કઈ રીતે ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગે જીવન જીવવું તે યક્ષ પ્રશ્ન અંગે ભાજપ સરકાર મૌન છે. બેંકરએ જણાવ્યું હતું કે ઘઉંનો લોટ, મીઠું, મસાલા, સહીત રોજબરોજની જરૂરિયાતના સતત ભાવ વધી રહ્યા છે. ગયા વર્ષની સરખામણીમાં લોટના ભાવમાં 40% સુધીનો વધારો થયો છે. ફેબ્રુઆરી ૨૦૨૩માં, છૂટક લોટની કિંમત ૩૩-૩૫ રૂપિયા પ્રતિ કિલો, જ્યારે પેકમાં બ્રાન્ડેડ લોટ ૪૫ રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યો છે. વિશ્વમાં ઘઉંનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ હોવા છતાં ભારતમાં લોટના ભાવ કેમ વધી રહ્યા છે? એક તરફ જનતા લુટાઈ રહી છે તેને રાહત અપાતી નથી બીજી તરફ ખેડૂતો પાસેથી ઓછા ભાવે ખરીદાયેલ એટલે કે પ્રતિ ક્વિન્ટલ ૨૦૧૫ રૂપિયે ખરીદ્યા હતા તે પૈકી સરકાર હવે ૩૦ લાખ ટન ઘઉં પ્રતિ ક્વિન્ટલ ૨૩૫૦ રૂપિયે વેચાણ કરશે એટલે કે રૂપિયા ૧૦૦૫ કરોડની નફાખોરી સરકાર કરશે આ છે ભાજપ સરકારની લુટનું મોડેલ. ભાજપ સરકારની નીતિને કારણે રોટી અને રોજગાર ગાયબ થયો છે. ચુંટણી સમયે ભાજપને કરોડો રૂપિયાનું ફંડ આપનાર તેલિયા રાજાઓ ચુંટણી પતી ગયા બાદ મન ફાવે તે રીતે ગુજરાતની જનતાને લુટી રહ્યા છે.ભાજપ સરકારનું મોઘવારી મુદ્દે સૂચક મૌન તેની સાબિતી છે. દૂધ, દહીં, કઠોળ, શાકભાજી સહિત તમામ વસ્તુઓના ભાવ વધારોમાં ગુજરાતની ગૃહિણીઓનું ઘર સંભાળવાનું મુશ્કેલ બન્યુ છે ત્યારે ઘઉંનો લોટ, દૂધ, દહીં, મીઠું, મસાલા, સહીત રોજબરોજની જીવન જરૂરિયાત વસ્તુઓમાં અસહ્ય ભાવ વધારો ઓછો કરવા સરકાર પગલા ભરે અને જનતાને તાત્કાલિક લાભ આપે તેવી કોંગ્રેસ માંગ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com