
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના હોમગાર્ડસ જવાનોના માનદવેતનમાં ૩૧-૧૧-૨૦૨૨થી ૫૦ ટકાનો વધારો કરી રૂ. ૪૫૦ પ્રતિદિન વેતન નક્કી કરવામાં આવ્યું છે, તેમ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્યના હોમગાર્ડ જવાનો અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી શ્રી સંઘવીએ જણાવ્યું હતું કે, ૩૧-૧૨-૨૦૨૨ની સ્થિતિએ વલસાડ જિલ્લામાં હોમગાર્ડ જવાનોનું મંજૂર મહેકમ ૭૮૪ છે, જેમાંથી ૭૧૯ જેટલું મહેકમ ભરવામાં આવેલું છે. આ ઉપરાંત ડાંગ જિલ્લામાં હોમગાર્ડ જવાનોના ૪૭૧ મંજૂર મહેકમ સામે ૪૬૧ જેટલું મહેકમ ભરવામાં આવેલું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
સભ્યશ્રી દ્વારા પૂછાયેલા પેટા પ્રશ્નનો જવાબ આપતા રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યના હોમગાર્ડ જવાનોની દિવસ રાતની મહેનતને બિરદાવવા માટે તેમને રાષ્ટ્રપતિશ્રીના ચંદ્રક, રાજ્યપાલશ્રીના ચંદ્રક અને મુખ્યમંત્રીશ્રીના ચંદ્રક સહિતના વિવિધ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે.