અમદાવાદ
તાજેતરમાં રામોલ લક્કી પાન પાર્લર આંબા હોટલ જનતાનગર પાસે જાહેરમાં ચપ્પાના ઘા મારી એક વ્યકિતની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી.જે ગુનો શોધવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એમ.એસ.ત્રિવેદીની ટીમના પો.સ.ઇ. જી.આર.ભરવાડ તથા એ.એસ.આઈ. વિરેન્દ્રસિંહ તથા હે.કો. રોહિતસિહ તથા બીજા સ્ટાફના દ્વારા ગુનામાં સંડોવાયેલ આરોપી માઈનખાન સુલતાનખાન પઠાણને વિશાલા સર્કલ શાસ્ત્રીબ્રીજથી કેનાલ તરફના રોડ પરથી ઝડપી લીધો હતો.આરોપી ગઈ તા.૩૦/૦૪/૨૩ રવિવારના રોજ તે બંધ બોડીની લોડીંગ રિક્ષામાં મીરઝાપુર સરકારી મટન માર્કેટ ખાતેથી બે ટુકડા મટનના ખરીદ કરી, બાપુનગર સુન્દ્રરમ મેદાન ખાતે રહેતા ફરહાનને આપવા નિકળેલ અને લોડીંગ રિક્ષા વસ્ત્રાલ આકૃતિ ફલેટ ર્ટન પાસે લોડીંગ રિક્ષા લઈ જતો હતો. તે મરણ જનાર મુઝફફરઅહમદ તથા એક માણસ લોડીંગ રિક્ષા પાછળ એકટીવા લઈ આવી લોડીંગ રિક્ષાનો પાછળનો દરવાજો ખોલી નાખેલ. જેથી ધરતી ફેલટ બમ્પ પાસે લોડીંગ રિક્ષામાથી મટનના બન્ને ટુકડો પડી ગયેલ. જેથી ત્યા પબ્લીક ભેગી થતા તે ત્યાંથી ભાગી ગયેલો અને તેની વિરુધ્ધમાં રામોલ પોલીસ સ્ટેશન ગુનો દાખલ થયો હતી.જેથી ગઈ તા.૩૦/૦૪/૨૩ ના રોજ પકડી અટક કરી હતી તેને ગૌમાસમાં ફસાવવા માગતો હોય જેથી તેની અદાવત રાખી ગઈ તા.૦૨/૦૫/૨૩ ના રોજ સાંજના સાતેક વાગ્યાના સુમારે આ મરણ જનાર મુઝફફર અહમદ જફરઅહમદ પઠાણને આબા હોટલ જનતાનગર ખાતે આવેલ. લક્કી પાન પાર્લર પાસે ઉભેલ હોય, જેથી તેની પાસે રાખેલ છરીના બે ઘા છાતીના ભાગે તથા એક ઘા જમણા હાથ પર મારી મોત નિપજાવેલ છે.જે બાબતે રામોલ પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો નોધાયેલ પકડાયેલ આરોપીને રામોલ પોલીસ સ્ટેશન સોપવામાં આવ્યો છે.