અમદાવાદ
પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનરશ્રી ક્રાઇમ બ્રાંચ તથા નાયબ પોલીસ કમિશનરશ્રી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ નાઓએ આગામી રથયાત્રાના તહેવાર અનુસંધાને ગેરકાયદેસર હથિયારના ગુનાઓ શોધી કાઢવા તેમજ એસ.ઓ.જી. ના હેડને લગતી કામગીરી કરવા સારું સૂચના કરેલ હોય.જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર શ્રી, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ નાઓના સુપરવીઝન હેઠળ પો.ઇન્સ. શ્રી જે.વી.રાઠોડ નાઓના માર્ગદર્શન આધારે પો.સ.ઇ. શ્રી એન.બી.પરમાર નાઓની ટીમને મળેલ બાતમી હકિકત આધારે આરોપી દિપકભાઇ કાનજીભાઇ ચાવડા ઉ.વ.૩૪ ધંધો-બેકાર રહે. સિંધેશ્વરીનગર, અમરાઇવાડી પોલીસ લાઇન સામે, અમરાઇવાડી અમદાવાદ શહેર નાને દેશી બનાવટના તમંચા નંગ-૧ કિ.રૂ.૫૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી આરોપી વિરુધ્ધમાં ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૧૨૩૦૧૮૦/૨૦૨૩ ધી આર્મ્સ એકટ ૨૫(૧-બી)(એ) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે. જેની આગળની તપાસ પો.સ.ઇ. શ્રી એન.બી.પરમાર નાઓ ચલાવી રહેલ છે.
કામગીરી કરનાર અધિકારી/ કર્મચારીઓ
(૧) શ્રી જે.વી.રાઠોડ, પો.ઇન્સ. (માર્ગદર્શન)
(૨) શ્રી એન.બી.પરમાર, પો.સ.ઇ.
(૩) મ.સ.ઇ. અનોપસિંહ ચંદુભા
(૪) અ.હે.કો. હરપાલસિંહ પવનસંગ (ફરીયાદી)
(૫) અ.હે.કો. કમલેશકુમાર મણીલાલ (બાતમી)
(૬) અ.પો.કો. જયરાજસિંહ વિક્રમસિંહ (બાતમી)