વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના નવ વર્ષના કામોનો હિસાબ આપવા અમદાવાદના અસારવામાં શુક્રવારે સાંજે સાંસદ જનસભા યોજાઈ હતી. જેને સંબોધતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલએ કહ્યુ કે, કોંગ્રેસના સમયમાં દેશમાં માત્ર પાંચ જ શહેરોમાં મેટ્રો રેલ સુવિધા હતી. ગુજરાતને તો કંઈ મળતુ જ નહોતુ. નરેન્દ્ર મોદીએ અમદાવાદને મેટ્રો, ગુજરાતને બુલેટ ટ્રેન આપી છે. ૧૮૦ પ્રકારની યોજનાઓ થકી તેઓ નાગરીકોનું જીવન ઉપર લાવ્યા છે.ભાજપ અધ્યક્ષ પાટીલે કહ્યુ કે, પ્રધાનમંત્રી મુખ્યમંત્રી હતા ત્યારથી જ વિકાસપુરૂષનું બિરૂદ મેળવ્યુ હતુ. તેઓ જે કામ કરતા ગયા તેનો હિસાબ આપતા ગયા. એક વર્ષ પછી ચૂંટણી હોય ત્યારે નવ વર્ષના કામનો હિસાબ આપે તેના માટે પણ છપ્પનની છાતી હોવી જાેઈએ. સૌથી પહેલા નરેન્દ્ર મોદીએ દેશને આંતરિક અને બાહ્ય સુરક્ષા આપી. જે પાકિસ્તાન સતત આપણા સૈનિકો ઉપર હુમલો કરતુ હતુ તેને હવે વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનમાં ધુસીને સર્જીકલ સ્ટ્રાઈક કરી, ૩૦૦ જેટલા આંતકવાદીઓનો ખાત્મો કર્યો છે. આ સભા પૂર્વે પાટીલે પાંચ કિલોમીટર લાંબી બાઈક રેલીમાં પણ જાેડાયા હતા. જનસભામાં પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરિટ સોલંકી, અમદાવાદના મેયર સહિત શહેરના ધારાસભ્યો અને ભાજપના હોદ્દેદારો સહિત કાર્યકરો પણ જાેડાયા હતા.