પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં બુધવારે કેટલાક અજાણ્યા બંદૂકધારીઓએ એક ઘરમાં ઘૂસીને એક જ પરિવારના નવ લોકોની હત્યા કરી નાખી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ બદમાશો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. મૃતકોમાં ત્રણ મહિલાઓ અને છ પુરૂષોનો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંદૂકધારીઓ ઓટોમેટિક હથિયારોથી સજ્જ હતા.ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. જોકે હજુ સુધી આ ઘટના પાછળનું કારણ શું છે તે જાણી શકાયું નથી. સ્થાનિક પોલીસે કહ્યું છે કે તે સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને આ ઘટના પાછળનું કારણ શું છે તે શોધી રહી છે.જણાવવામાં આવી રહ્યું છે કે ઘટના મલાકંદ જિલ્લાના બટખેલા તાલુકાની છે. આજે સવારે કેટલાક અજાણ્યા બંદૂકધારીઓ આવ્યા અને સીધા ઘરમાં ઘૂસી ગયા. ઘરમાં પ્રવેશતાની સાથે જ તેણે અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. હજુ સુધી એ જાણી શકાયું નથી કે ઘરમાં માત્ર 9 લોકો હતા કે વધુ સભ્યો હતા.