કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત ને જીએસટી વળતર પેટે ₹ ૯,૦૨૧ કરોડની ચુકવણી

Spread the love

કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી કાયદાના અમલીકરણ વખતે રાજ્યોને મળતી આવકમાં ઘટ સામે વળતર આપવાની જોગવાઇ કરવામાં આવેલ હતી.
આ માટે જીએસટી કમ્પેસેશન સેસ એકટની રચના કરાયેલ હતી.
આ એકટની જોગવાઇ મુજબ નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ ને બેઝ ઇયર ગણી તેમાં વાર્ષિક ૧૪% લેખે વૃધ્ધિને આધારે તા.૦૧-૦૭-૨૦૧૭થી તા.૩૦-૦૬-૨૦૨૨ સુધી પાંચ વર્ષ માટે રાજ્યોની પ્રોટેક્ટેડ આવક નક્કી કરવામાં આવેલ હતી.
આ સંદર્ભમાં ગુજરાત સરકારને મળવાપાત્ર જીએસટી વળતર પેટે ₹૯૦૨૧ કરોડની રકમ કેન્દ્ર સરકારે ગુજરાતને આજે ફાળવી આપી છે.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતને આ રકમ ફાળવવા અંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com