એકનો એક દીકરો કુવામાં ડુબી જતા પરિવારમાં ગમગીની

Spread the love

રાજકોટ શહેરના માધાપર ગામે ઈશ્વરીયા મહાદેવ મંદિરની બાજુમાં આવેલી વાડીના કુવામાં પડી જતા 16 વર્ષના સગીરનું ડુબી જવાથી મોત થયું છે.બનાવ અંગે જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી જઈ કિશોરનો મૃતદેહ બહાર કાઢયો હતો. મૃતક બાળક વાડીમાં ક્રિકેટ રમતો હતો દરમિયાન બોલ કુવામાં પડી જતા કાઢવા પડ્યો હતો જો કે આ સાહસ તેના પર ભારે પડ્યું અને ડૂબી જવાથી તેનું મોત નિપજયું. શ્રમિક પરિવારે એકનો એક દીકરો ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ ગઇ છે. કુવામાં પડી ગયેલા 16 કિશોરની ઓળખ વિજય બકાભાઈ રાઠવા તરીકે થઇ છે. કિશોરના પરિવારના સભ્યો નજીકની વાડીમાં મજુરી કામ અર્થે ગયા હતા. દરમિયાન સમાચાર મળતાં પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *