બીપરજોય વાવાઝોડા દરમ્યાન અપૂરતી સહાય મળ્યાની ફરિયાદને લઈ શક્તિસિંહ ગોહીલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

Spread the love

સાંસદ રાજ્યસભા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ ,એ.આઈ.સી.સીના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ

અમદાવાદ

સાંસદ રાજ્યસભા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ ,એ.આઈ.સી.સીના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી જણાવ્યું હતું કે બીપરજોય વાવાઝોડા દરમ્યાન જે લોકોને નુકશાન થયેલ તે લોકોને સહાય ન મળ્યા અથવા અપૂરતી સહાય મળ્યાની વ્યાપક ફરિયાદ ઉઠી છે .જેમને પણ કોઈ પ્રકારનું નુકશાન થયેલ હોય તેઓ ફોટો કે વિડીઓ લઇ અને સરકારને મોકલી આપે તો તે સચોટ પુરાવો છે. આ ફોટા કે વિડિયોનાં આધારે સત્વરે રાહત પહોચાડવાની કાર્યવાહી શરુ કરવી જોઈએ. લોકો પોતાની વિગતો ભરીને સરકારને કોઈ સાઈટ ઉપર અથવા વોટ્સએપથી મોકલી શકે તેવી ગોઠવણ સત્વરે કરાવી જોઈએ.  લોકોને પોતાને થયેલ નુકશાન અંગેના ફોટા કે વિડીયો અને વિગતો સરકારને મોકલવામાં અડચણ પડે અને સરકારી તંત્ર સહાયતામાં ના પહોંચી શકે તેમ હોય તો અમને જણાવવા વિનંતી કે જેથી કોંગ્રેસપક્ષના સોશિયલ મીડિયાની ટીમ તથા કોંગ્રેસના કાર્યકર્તા લોકોને કોઈપણ જાતની અપેક્ષા વગર સેવા પૂરી પાડશે. ઝડપથી સહાય મળે, ભ્રષ્ટ્રાચાર કે ખોટું પણ નાં થાય તે માટે બદલાયેલ સંજોગોને ધ્યાને લઈને સર્વે કરવા સરકારી તંત્રની માનવશક્તિનો વ્યર્થ વ્યય કરવાના બદલે લોકો પોતે જ ફોટા કે વિડીયોથી પોતાની વિગત સાથે પુરાવા મોકલે તે આવકારદાયક રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com