રાજ્યસભાના પદનામિત સાંસદ શ્રી બાબુભાઈ જે. દેસાઈની રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શિષ્ટાચાર મુલાકાત

Spread the love

રાજ્યસભાના પદનામિત સાંસદ શ્રી બાબુભાઈ જે. દેસાઈએ આજે ગાંધીનગરમાં રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શિષ્ટાચાર મુલાકાત કરી હતી.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શ્રી બાબુભાઈ દેસાઈને અભિનંદન પાઠવ્યા હતા અને ‘પરોપકારાય સતામ્ વિભૂતય:’ નો ઉલ્લેખ કરીને કહ્યું કે, સત્પુરુષોનું જીવન પરોપકાર માટે જ હોય છે. તેમણે ખેડૂતો, ધરતી માતા, ગાય માતા, પર્યાવરણ, સ્વાસ્થ્ય અને સૌના કલ્યાણ માટે પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો વ્યાપ વધારવામાં સક્રિયતા કેળવવા અનુરોધ કર્યો હતો.શ્રી બાબુભાઈ દેસાઈએ પણ વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે એ માટેની ઝુંબેશમાં સક્રિયતાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com