ક્ષત્રિયવીર શિરોમણી મહારાજા શ્રી સામંતસિહજી બિહોલાનુ સ્ટેચ્યુ પાલજ ખાતે મુકવાનો ઐતિહાસિક ર્નિણય બિહોલા રાજપૂત સમાજની ચૌદમી વાષિક સાધારણ સભાનુ આયોજન

Spread the love

પાલજ ,તા .જી.ગાંધીનગર ખાતે કરવામા આવેલ. જેમા બિહોલા સમાજ ના પ્રમુખ શ્રી પી.પી. બિહોલા સાહેબે જણાવ્યુ કે સૌના પ્રેરણા સ્રોત, ક્ષત્રિયવીર શિરોમણી મહારાજા શ્રી સામંતસિહજી બિહોલાનુ સ્ટેચ્યુ બિહોલા સમાજની રાજધાની એવા પાલજ ખાતે મુકવાનો ઐતિહાસિક ર્નિણય બિહોલા રાજપૂત સમાજ ગુજરાત દ્વારા લેવામા આવેલ છે …જે આપણા સૌ માટે ગૌરવ ની વાત છે… પાલજ ગામના યુવા આગેવાન શ્રી શૈલેન્દ્રસિહ બિહોલા દ્વારા પાલજ ગામ વતી અભૂતપૂર્વ પ્રતિસાદ અને સહયોગની ખાત્રી આપવામા આવેલ છે.સમાજના ઉપ પ્રમુખ શ્રી ભરતસિંહ બિહોલાએ કાર્યને સફળ બનાવવા માટે સ્મારક સમિતિની રચના કરવા અને આયોજન માટે એક મીટીંગનુ આયોજન પાલજ ગામ ખાતે તા.૦૬-૦૮-૨૦૨૩ ને રવિવારના રોજ બપોરે ૩.૩૦ વાગે કરવામા આવેલ છે તેમ જણાવેલ છે. સમાજના હોદ્દેદારશ્રીઓ, કારોબારી સભ્યો, ગામે ગામથી વડીલો, યુવાનોને મોટી સંખ્યામા હાજર રહેવા સમાજના મહામંત્રી શ્રી કરણસિંહ બિહોલાએ અપીલ કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *