રાજકોટમાં ધૂણતા પતિના ત્રાસથી પત્નીનો આપઘાત

Spread the love

રાજકોટ શહેરમાં ચોંકાવનારો બનાવ બન્યો છે. જેમાં મૃત્યુ પામેલી પહેલી પત્ની શરીરમાં આવતી હોવાનું જણાવીને ધૂણતા પતિના ત્રાસથી કંટાળીને બીજી પત્નીએ આપઘાત કરી લીધો છે. આ મામલે મૃતકના પિતાએ જમાઈ સામે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના કોઠારિયા રોડ પર આવેલી જયરામ પાર્ક સોસાયટીમાં રહેતા લક્ષ્મણ નરશીભાઈ કોળીના પત્ની જલ્પાબેને 7 દિવસ અગાઉ પતિના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં પતિનો ત્રાસ કારણભુત હોવાનું મૃતક જલ્પાબેનના પિતા ભગવાન બગથરીયાએ જણાવતાં પોલીસે જમાઈ લક્ષ્મણ કોળી સામે ગુનો નોંધ્યો છે.
મૃતક જલ્પાબેનના પિતા ભગવાનભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે, મારી દિકરી જલ્પાના લગ્ન પહેલા સુરત થયા હતા. તેના થકી તેને બે સંતાન દિકરો-દિકરી છે. જે બાદ પતિ સાથે અણબનાવ થતાં તેણે છુટાછેડા લીધા હતા. જે બાદ તે મારા ઘરે રહેતી હતી. આજથી 6 મહિના અગાઉ જ તેના લગ્ન રાજકોટના લક્ષમણ નરશીભાઈ કોળી સાથે કરાવ્યા હતા. લક્ષ્મણના પણ પહેલા લગ્ન થયા હતા. જોકે, તેની પત્નીનું મૃત્યુ થયું હતું.
આજથી બે મહિના પહેલા જ જલ્પાએ મને ફોન કરીને પતિ ત્રાસ આપતો હોવાની ફરિયાદ કરી હતી. જલ્પાએ મને કહ્યું હતું કે ‘મારા પતિ તેની મૃત્યુ પામેલી પહેલી પત્નીની પૂજા કરે છે અને બાદમાં પત્ની શરીરમાં પ્રેવેશી ગઈ હોવાનું જણાવીને ધૂણવા લાગે છે. તે ધૂણતા ધૂણતા મને માર મારી ગળુ દબાવે છે અને મને ત્રાસ આપ છે.’ જેના એક અઠવાડિયા બાદ પતિના ત્રાસથી કંટળીને મારી દિકરી જલ્પા પિયર આવી ગઈ હતી. જે બાદ મેં તેને સમજાવીને પરત સાસરે મોકલી દીધી હતી.
જે બાદ 28મી જૂલાઈએ તેનો મને ફોન આવ્યો કે ‘મેં ઝેરી દવા પી લીધી છે. મારા બાળકોને સાચવી લેજો.’ જેથી અમે તાત્કાલિક રાજકોટ પહોંચ્યા હતા, રાજકોટ જઈને જોયું તો દિકરીનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com