INDIA ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ મજબૂતીથી 2024ની લોકસભા ચૂંટણી લડશે: ઇસુદાન ગઢવી

Spread the love

ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી પ્રમુખ ઈશુદાન ગઢવી

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું INDIA ગઠબંધનથી ભાજપની 26 માંથી 26 બેઠકો નહીં આવે અને આગામી લોકસભામાં ભાજપની ફક્ત 180 સીટો જ આવશે : ઇસુદાન ગઢવી

અમદાવાદ

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે, દેશમાં મોંઘવારી અને ગેસના બાટલાનો ભાવ વધી ગયો છે, ગુજરાતનું દેવું ચાર લાખ કરોડ થઈ ગયું છે અને પ્રત્યેક ગુજરાતી પર 63 હજારની આસપાસનું દેવું છે, દેશમાં સંપત્તિઓ વેચાઈ રહી છે , એટલે દેશ બચાવવા માટે ભાજપની સામે ઇન્ડિયા ગઠબંધનની રચના કરવામાં આવી છે.આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન જેનું નામ INDIA રાખવામાં આવ્યું છે તે ગુજરાતમાં પણ લાગુ છે. હાલ મેં સીટોની તપાસણી કરી રહ્યા છીએ અને આ INDIAથી ભાજપ ડરી ગયું છે. ભાજપને ખ્યાલ આવી ગયો છે કે INDIA 2024ની ચૂંટણીમાં ભાજપને હરાવી દેશે. એટલા માટે પ્રધાનમંત્રીથી લઈને બીજા ભાજપના નેતાઓ INDIAને જેમ તેમ બોલી રહ્યા છે. ગુજરાતમાં સીટોની વહેંચણી કરીને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ લોકસભા ચૂંટણી લડશે. અમે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ કે જો સીટોની વહેંચણીમાં અમે સારું કામ કરીશુ તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું INDIA ગઠબંધનથી ભાજપની 26 માંથી 26 બેઠકો નહીં આવે અને આગામી લોકસભામાં ભાજપની ફક્ત 180 સીટો જ આવશે. આગામી ટૂંક સમયમાં મુંબઈમાં ઉદ્ધવ ઠાકરે ની આગેવાની હેઠળ મીટીંગ ઇન્ડિયા ગઠબંધન થવા જઈ રહી છે ત્યારે આગળની સમીક્ષા કરવામાં આવશે અને અરવિંદ કેજરીવાલની સાથે પરામર્શ કરીને આગળ વધીશું. ચૂંટણીના મુદ્દાઓ ગઠબંધન ના લીધે હાલમાં કોઈ ચર્ચા કરવામાં આવી નથી પરંતુ આગામી સમયમાં જો ગઠબંધન સાથે ગુજરાતમાં લોકસભા ચૂંટણી લડવામાં આવશે તો સાથે બેસીને મુદ્દાઓ બનાવીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com