શહેરમાં કોઈ વ્યક્તિએ સારા વિચાર,વિમર્શથી સૌની દિવાલ બનાવી, હવે દિવાલ ઢંકાઈ ગઈ, અને આ સૌની દીવાલમાં કોઈ ચીજ વસ્તુ મૂકવા પણ આવતું નથી, ત્યારે દૂરથી જોઈએ તો લાગે કે સૌની દીવાલમાં કોઈ વસ્તુઓ મૂકી ગયું છે, પણ કોઈ અડવા જાય તો વેપારી બૂમ પાડે, ત્યારે આ દબાણ હટાવવાની જરૂર છે, બાકી આ પ્રોજેક્ટ લાવનારને સલામ અને વંદન છે, ત્યારે પૂર્વ ડેપ્યુટી મેયર એવા નાઝાભાઇ ધાંધર (ભામાશા) એ તેમના વિચારથી ઘણી જગ્યાએ આવી સૌની દીવાલ મૂકવામાં આવી હતી, તેનો ઉદ્દેશ એ હતો કે તમારી પાસે વધુ અને ન કામની હોય તો મૂકી જાવ, અને જરૂરિયાત જે ચીજ વસ્તુની હોય તો લઈ જાવ, ત્યારે લોકો ,ચંપલ, કપડાં ,ગોદડા, બાળકોના રમવાના રમકડા મૂકી જતા હતા, ત્યારે આ પ્રોજેક્ટ સફળ રહ્યો હતો, પણ હવે વેપારીઓથી લઈને અનેક દબાણકારોએ ભોંયભેગા આ આઈડિયાને કરી દેતા અત્યારે સૌની દીવાલ ખાલી ખમ લાગે છે, આ દિવાલમાં કાંઈક ભરો ભાઈ… કોઈને કામ આવશે… પણ પહેલા આ દબાણો હટાવો…