આપ’ના રાજ્યસભા સાંસદ સંજયસિંહ 16 સપ્ટેમ્બરના રોજ કાર્યકર્તા અધિવેશનમાં ગુજરાતની મુલાકાત લેશે :  મનોજ સોરઠીયા

Spread the love

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા

સંજયસિંહ લોકસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીની તૈયારીઓની સમીક્ષા કરશે: મનોજ સોરઠીયા

અમદાવાદ

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ એક મહત્વપૂર્ણ જાણકારી આપતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને રાજ્યસભા સાંસદ સંજયસિંહજી 16 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ, ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટી 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ સતત સંગઠન નિર્માણમાં વ્યસ્ત હતી. છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી પહોંચવાની નેમ સાથે મજબૂતીથી સંગઠનનું નિર્માણ થઈ રહ્યું હતું.16 સપ્ટેમ્બરના રોજ પ્રદેશ સ્તરે કાર્યકર્તા અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યકર્તા અધિવેશનમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને રાજ્યસભાના સાંસદ સંજયસિંહજી પધારવાના છે. સાથે સાથે આમ આદમી પાર્ટીની આગળની રણનીતિ પર ચર્ચા થશે અને લોકસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીની તૈયારીઓની સમીક્ષા પણ થશે. 16 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના તમામ કાર્યકર્તાઓને સંજયસિંહજી સંબોધિત કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com