શાંતીપુરાથી બોપલ વકીલ સાહેબ બ્રીજ તરફ જતા વાહન ચાલકે ટુ વ્હીલર ચલાવનારને અકસ્માત કરતા મોત નીપજ્યું

Spread the love

અમદાવાદ

આજરોજ તા.૧૭/૦૯/૨૦૨૩ ના સવા ત્રણ વાગ્યાના સુમારે એમ ટ્રાફીક પોલીસ સ્ટેશન અમદાવાદ  હદ વિસ્તારમાં આવેલ શાંતીપુરાથી બોપલ વકીલ સાહેબ બ્રીજ તરફ જતા મહંમદપુરા ઓવરબ્રીજ ઉપર જાહેર રોડ ઉપર એક એક્સેસ ટુ વ્હીલર નંબર GJ-01-A-939 ના ચાલક નામે ડીજેન્દ્રો ખાન્ગુઆ ઉ.વ.૨૧ રહેહાલ, હિરંગી નેચરલ સ્પા તિર્થ જ્યોતી પ્લાઝા આર.ટી.ઓ.સર્કલ પાસે સુભાષબ્રીજ અમદાવાદ શહેર મુળ વતન: ગામ,આશાપારા પો.સ્ટે.આનંદબજાર સબ ડીવિઝન કંચનપુર જીલ્લો નોર્ય ત્રિપુરા રાજ્ય ત્રિપુરા, એક્સેસ ટુ વ્હીલર ચલાવી જતા હતા તે વખતે કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાના કબ્જાનું વાહન પુરઝડપે તથા બેદરકારીપુર્વક તેમજ અન્ય વ્યક્તિની જીંદગી જોખમાય તે રીતે ચલાવી લાવી એકસેસ ટુ વ્હીલર સાથે અકસ્માત કરી અજાણ્યો વાહન ચાલક તેના કબ્જાનુ વાહન લઈ ત્યાંથી નાસી ગયેલ જે અકસ્માતમાં એકસેસ ટુ વ્હીલર ચાલક ડીજેન્દ્રોને ગુપ્તભાગે તથા ડાબા હાથે તથા શરીરે ઈજાઓ થયેલ અને એકસેસ ટુ વ્હીલરને નુક્સાન થયેલ જેથી ઈજા પામનાર ડીજેન્દ્રોને ૧૦૮ મારફતે સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પીટલ ખાતે લઈ ગયેલ અને ત્યાથી વધુ સારવાર અર્થે અસારવા સિવિલ હોસ્પીટલ ખાતે લઈ જતા ફરજ પરના ડો.એ ડીજેદ્રો ઉ.વ.૨૧ ને આજરોજ તા.૧૭/૦૯/૨૦૨૩ ના સાતને સાત વાગે મરણ જાહેર કરેલ છે જે બાબતે મરણ જનારના સંબધી દોનીરામ શાંતીકુમાર અપેટો ઉ.વ.રર ની અત્રેના એચ.જી.કટારીયા પોલીસ ઇન્સપેક્ટર એમ ડિવીઝન ટ્રાફીક પોલીસ સ્ટેશન અમદાવાદ એ તેઓના રૂબરૂની  ફરીયાદ હકીકત લખી લઈ અત્રેના પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવી અકસ્માત કરી નાસી જનાર અજાણ્યા વાહન ચાલકની તપાસ તજવીજ હાથ ઘરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com