દિલ્હી-NCRમાં 4.6 અને 6.2ની તીવ્રતાનાં ભુકંપનાં બે આંચકા, લોકો ઘરની બહાર દોડી આવ્યા

Spread the love

મંગળવારે બપોરે 2.53 કલાકે દિલ્હી-એનસીઆર, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા 4.6 હતી. એનું કેન્દ્રબિંદુ નેપાળમાં નોંધાયું છે. કહેવામાં આવી રહ્યું છે કે નેપાળમાં બે વખત ભૂકંપ આવ્યો છે. બપોરના 2.25 વાગ્યે પહેલો, જેની તીવ્રતા 4.6 હતી. બીજો આંચકો 2.53 વાગ્યે આવ્યો, જેની તીવ્રતા 6.2 હતી. ઉત્તરપ્રદેશમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. એની તીવ્રતા 5.5 માપવામાં આવી છે.

યુપીના લખનઉ, કાનપુર, આગ્રા, નોઈડા, મેરઠ, મુરાદાબાદ, ગાઝિયાબાદ, અયોધ્યા, અલીગઢ, હાપુડ, અમરોહામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

હરિયાણામાં મંગળવારે એક દિવસમાં બીજી વખત ભૂકંપ આવ્યો. પાણીપત, રોહતક, જીંદ, રેવાડી અને ચંદીગઢ વગેરેમાં બપોરે 2.50 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આથી ગભરાટમાં લોકો ઘરની બહાર આવી ગયા. આજે વહેલી સવારે સોનીપતમાં 2.7ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર મંગળવારે સવારે 11.06 સેકન્ડે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર સોનીપત હોવાનું કહેવાય છે. પૃથ્વીથી 8 કિલોમીટર નીચે હિલચાલ નોંધવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *