પેથાપુરમાં બે અકસ્માતનાં બનાવ: 2 લોકોનાં મોત

Spread the love

ગાંધીનગરના પેથાપુર ચાર રસ્તાએ બે અલગ અલગ માર્ગ અકસ્માતના બનાવોમાં રીક્ષા ચાલક તેમજ બાઈક સવાર મહિલાનું ઘટનાસ્થળે મોત નિપજતા પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદના એરપોર્ટ સર્કલ રબારીવાસમાં રહેતા રૂત્વીક વીરમભાઇ રબારીએ ફરિયાદ નોંધાવી છે કે, આજે બપોરના સમયે તે ઘરે હાજર હતો. એ વખતે તેની માતા ઈશાબેન અને પિતા વીરમભાઈ રબારી બાઈક ઉપર અમદાવાદથી અલુવા ખાતે આવેલ વિહત માતાના મંદિરે દર્શન કરવા નિકળ્યા હતા. બપોરના સમયે પાડોશી વિજયભાઇએ ફોન કરીને રૂત્વીકને જાણ કરેલી કે, તારા માતાપિતાના બાઇકનો પેથાપુર ચોકડી પાસે અકસ્માત થયો છે.

આથી રૂત્વીક સહિતના પરિચિત લોકો ગાંધીનગર સિવિલ દોડી ગયા હતા. જ્યાં ઈશાબેન મૃત હાલતમાં હતા. અને વીરમભાઈને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ઈશાબેનનું માથું છૂંદાઈ ગયું હતું. આ અંગે રૂત્વીકને જાણવા મળેલ કે તેના માતાપિતા બાઈક પર પેથાપુર ચોકડીથી રાંધેજા તરફ જતા હતા.

તે દરમ્યાન પેથાપુર ચોકડી નજીક ટ્રક (નં- RJ-09-GB-8282) ના ચાલકે પોતાની ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી અકસ્માત કર્યો હતો. જેમાં ઈશાબેનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક બનાવમાં સાબરમતી સત કેવલનગર ખાતે રહેતા ઉતમભાઇ દંતાણીનો 25 વર્ષીય ભાઇ અતુલ રાજુભાઇ દંતાણી રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતો હતો.

ગત તા. 8 મી ઓક્ટોબરનાં રોજ સાંજના સમયે અતુલ રીક્ષા લઈને પેથાપુર ચોકડીથી રાંધેજા રોડ તરફ જઈ રહ્યો હતો. એ દરમ્યાન અચાનક તેણે રીક્ષા પરનો કાબુ ગુમાવી દેતાં રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. જેને ગંભીર હાલતમાં ગાંધીનગર સિવિલ લઈ જવામાં આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. ઉપરોક્ત બંને અકસ્માતો અંગે પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com