સુરતમાં મંદીના કારણે વધુ એક હિરા કંપનીએ નાદારી જાહેર કરી, અનેકનાં નાણા ફસાયા

Spread the love

સુરતમાં મંદીના કારણે વધુ એક હિરા કંપનીએ નાદારી જાહેર કરી છે. જેને પરિણામે હિરાબજારમાં ખળભળાટ મચી ગયો છે. અમેરિકાની બીજા નંબરની લેબગ્રોન ડાયમંડ કંપનીની 44 મિલિયન ડોલરમાં નાદારી જાહેર કરી છે. જેમાં અનેકના પૈસા ફસાયા હોવાનું જાણવા મળ્યુ છે.

હીરાબજારમાં મંદીના માહોલ વચ્ચે વધુ એક કંપનીની નાદારી જાહેર થઈ છે. અમેરિકાની બીજા નંબરની લેબગ્રોન ડાયમંડ કંપનીની 44 મિલિયન ડોલરમાં નાદારી જાહેર કરી છે જેમાં સુરત-મુંબઈ હીરા બજારમાં નાણા ફસાયાની ચર્ચા થઈ રહી છે.હાલ આ પગલે હિરાબજારમાં ખળભળાટ મચી ગયો છે. 400 ડોલરે વેચતા લેબગ્રોન ડાયમંડના ભાવ 30 ડોલરે આવી ગયા છે.

લેબગ્રોન ડાયમંડ અમેરિકાની બીજા નંબરની સૌથી મોટી કંપની છે. તેની નાદારીથી હિરાબજારમાં ઉથલપાથલ મચી ગઈ છે. એક સમયે 400 ડોલર ભાવ બોલાતો હતો. જે કેટલા સમયથી સુરતમાં વેપાર સાથે સંકળાયેલો હતો. લેબગ્રોન ડાયમંડ કંપનીએ 44 મિલિયન ડોલરની નાદારી જાહેર કરતા વેપારીઓ ચિંતામાં મુકાયા છે. મળતી માહિતી મુજબ સુરત-મુંબઈ હિરાબજારના નાણા ફસાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *