કોંગ્રેસ મુખ્ય પ્રવકતા ડૉ.મનીષ દોશી
અમદાવાદ
ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આજે કેબિનેટ બેઠકમાં ફિક્સ પગારના કર્મચારીઓને વેતનમાં 30 ટકા વધારવા આપવાની જાહેરાત કરી છે તેની સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ જણાવ્યું હતું કે ફિક્સ પગારનાં કર્મચારીના વેતનમાં નજીવો વધારો કરીને વાહવાહી લુંટતી ભાજપ સરકાર સુપ્રીમ કોર્ટમાંથી ગુજરાતના યુવાનોના હિતમાં કેસ ક્યારે પરત ખેચશે? ફિક્સ પગારની શોષણવાળી નીતિ સામે કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવકતા ડૉ.મનીષ દોશીનાં ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.