Gj-૧૮ ખાતે તારીખ ૧૭-૧૦-૨૩ મંગળવારના રોજ સેક્ટર સાત ખાતે આવેલ ભારત માતાના મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદની જિલ્લા બેઠક ઉત્તર ગુજરાત પ્રાંત અધ્યક્ષ અને ગાંધીનગર જિલ્લાના વાલી રાજુભાઇ ઠાકર અને ઉ.ગુજરાત પ્રાંત સહ મંત્રી મુકેશભાઈ ગોર ના અધ્યક્ષસ્થાને યોજાયેલ હતી. જેમાં રાજુભાઇ ઠાકર (ઉ.ગુજરાત પ્રાંત અધ્યક્ષ અને જિલ્લાના વાલી) અધ્યક્ષતામાં અને તમામ હોદ્દેદારોના સર્વાનુમતે આપણાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્ય કક્ષા ગાંધીનગર શહેર/જિલ્લાના પ્રભારી અને પ્રમુખશ્રી સુનિલભાઈ ત્રિવેદીને વિશ્વ હિન્દુ પરિષદમાં ગાંધીનગર શહેર અને મહાનગરના અધ્યક્ષ તરીકે નિમણૂક આપવામાં આવી છે.વધુમાં સુનિલ ત્રિવેદીની અગાઉ પ્રમુખ રહી ચૂક્યા છે અને તેમની કામગીરી ખૂબ જ સારી રહે છે ત્યારે હિન્દુત્વ માટે ખપી જાય તેવી વ્યક્તિની નિમણૂક થતા શહેરમાં હિંદુત્વમાં ખૂબ જ લાગણી સાથે ચર્ચાનો વિષય બન્યો છે