‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત જનજાગૃતિ માટે વસ્તી ગણતરી નિયામકની કચેરી તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે સાબરમતી રીવરફ્રન્ટ ખાતે રેલી યોજાઈ

Spread the love

રેલીને ગુજરાત ખાતેના વસ્તી ગણતરી નિયામક સુશ્રી આર્દ્રા અગ્રવાલ દ્વારા ફ્લેગ ઓફ આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું

અમદાવાદ

સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા અંગે જનજાગૃતિ માટે વસ્તી ગણતરી નિયામકની કચેરી તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે આજે રેલી યોજાઈ હતી. આ રેલીને ગુજરાત ખાતેના વસ્તી ગણતરી નિયામક સુશ્રી આર્દ્રા અગ્રવાલ દ્વારા ફ્લેગ ઓફ આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

જાહેરમાં સ્વચ્છતા-પર્યાવરણ અંગે જનજાગૃતિ લાવવાના હેતુ સાથે યોજાયેલી આ રેલીમાં સ્વચ્છ પર્યાવરણનું મહત્વ દર્શાવતા બેનરો, સ્વચ્છ અને હરિયાળા ભારતના સૂત્રો દર્શાવતા પ્લેકાર્ડ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રસ્તા ઉપર અવરજવર કરતા વાહનો અને નાગરિકોએ આ રેલી અંગેની પ્રશંસા કરી હતી.સવારે ૯:૦૦ થી ૧૦:૩૦ સુધી રિવરફ્રન્ટ હાઉસ, આજે સવારે અમદાવાદથી અટલ બ્રિજ સુધી જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં વસ્તી ગણતરી કાર્યાલય અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મળીને અંદાજે ૭૫ જેટલા અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓએ ભાગ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com