અમદાવાદમાં ૫૭ સહિત સાત શહેરોમાં ૭૯ સ્થળોએ મોબાઈલ ફોન વિક્રેતાઓના  સ્ટેટ જીએસટી વિભાગના દરોડા

Spread the love

પેઢીઓ દ્વારા રૂપિયા ૨૨ કરોડની ખોટી વેરાશાખ ભોગવી કરચોરી કરવામાં આવેલ તથા વેપારીઓ દ્વારા વિવિધ કંપનીઓના મોબાઈલ ફોનની ખરીદીઓ ટેક્ષ-ઈન્વોઈસથી કરી તેનું રોકડેથી બિલ વગર વેચાણ કરી દેવામાં આવતું

અમદાવાદ

ગુજરાત સ્ટેટ જી.એસ.ટી. વિભાગને મળેલ માહિતી તેમજ વિભાગના સંશોધનને આધારે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત તથા ભુજ ખાતે કુલ ૭૯ મોબાઈલ વિક્રેતાઓના ધંધાના સ્થળોએ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. તપાસમાં ધ્યાને આવેલ કે, આ પેઢીઓ દ્વારા રૂપિયા ૨૨ કરોડની ખોટી વેરાશાખ ભોગવી કરચોરી કરવામાં આવેલ છે.મોટાભાગના વેપારીઓ દ્વારા વિવિધ કંપનીઓના મોબાઈલ ફોનની ખરીદીઓ ટેક્ષ-ઈન્વોઈસથી કરી તેનું રોકડેથી બિલ વગર વેચાણ કરી દેવામાં આવતું તથા આવા ફોનની ખરીદીની વેરાશાખનો ઉપયોગ ગ્રે-માર્કેટમાંથી બિલ વગર ખરીદેલ ફોનનાં B2B વેચાણોના ભરવાપાત્ર વેરા માટે કરવામાં આવતી. આમ, આયોજન બધ્ધ રીતે કરચોરી આચરવામાં આવેલ હોવાનું જણાય આવેલ.તપાસ દરમિયાન ધ્યાને આવેલ કે, મોટા ભાગના વેપારીઓ દ્વારા ખરીદ-વેચાણ કરેલ મોબાઈલ ફોનની કંપની, મોડેલ નંબર, કિંમત તથા IMEI નંબર સહિતનો કોઈ રેકર્ડ નિભાવવામાં આવેલ ન હતો. કરચોરીમાં સામેલ વેપારીઓ દ્વારા કોઈપણ પ્રકારના ન હિસાબો નિભાવવામાં આવેલ ન હોઈ કરચોરીની રકમનો તાગ મેળવવા વિભાગના અધિકારીઓને આવા સંખ્યાબંધ વ્યવહારોની ડેટા-એન્ટ્રી કરવાની ફરજ પડેલ. તપાસ દરમિયાન રૂપિયા ૩ કરોડની વસુલાત થયેલ છે અને તપાસમાં મળી આવેલ બિલ વગરના ૫૦૦થી વધુ મોબાઈલ ફોન સીઝ્ડ કરવામાં આવેલ છે. વધુમાં, સંખ્યાબંધ સ્થળોએ ઉપબ્ધ સાહિત્ય જપ્ત કરી તેની ઉંડાણ પૂર્વકની ચકાસણી હાલ ચાલુમાં છે. ચકાસણીના અંતે કરચોરીની રકમ હજુ વધે તેવી શક્યતા રહેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com