જેઠાલાલે આદિવાસી સમાજને કહ્યું, હું માફી માંગું છું., તમે પણ મોટું મન રાખીને અમને માફ કરી દો

Spread the love

ફેમીલી કોમેડી ડ્રામામાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ખુબ લોકપ્રિય ટીવી સિરિયલ છે. આ ઉપરાંત આ શો સતત વિવાદોમાં પણ આવતો રહે છે. ઘણી વખત શોના સ્ટાર્સની કોઈ ટિપ્પણી બાબતે અથવા તો કોઈ એવા સીનના કારણે સતત કોઈને કોઈ વિવાદો થતા જ રહે છે. એવા જ એક વિવાદના કારણે શોના જાણીતા સ્ટાર જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીએ પણ એક વિવાદિત ટિપ્પણી પર માફી માંગવી પડી હતી.

આ શોના એક એપિસોડમાં જેઠાલાલે આદિવાસી સમાજ પર આપતિજનક ટિપ્પણી કરી હતી. જેના કારણે આદિવાસી સમાજ રોષે ભરાયો હતો. આ આપત્તિજનક ટિપ્પણીના કારણે આદિવાસી સમાજ દ્વારા જેઠાલાલ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. જેના પછી જેઠાલાલનો માફી માંગતો વીડિયો જાહેર થયો હતો.

ગણપતી ઉત્સવ દરમ્યાન શોમાં તેમના એક ડાયલોગમાં આદિવાસી સમાજની લાગણી દુભાઈ હતી, જેમાં તેમને માફી માંગતા કહ્યું કે, મારા દિલમાં માત્ર આદિવાસી સમાજ જ નહિ પરંતુ કોઈપણ જાતિ, સમાજ કે જ્ઞાતિ માટે કોઈ એવી વાત નથી કે અમે તેમની મજાક ઉડાવીએ, તેમ છતાં પણ અમારાથી તમારી લાગણીઓને કોઈ ઠેસ પહોચી હોય તો આ બાબતે હું માફી માંગું છું. તમે પણ મોટું મન રાખીને અમને માફ કરી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *