ગમખ્વાર અકસ્માતની હારમાળા સર્જાઈ, મંગળવાર અમંગળ સાબીત થયો, 4નાં મોત..

Spread the love

જૂનાગઢ-વંથલી રોડ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રાવેલ્સની બસની ટક્કરે વધુ એક મહિલાનું મોત નિપજ્યું હતું. દિલાવરનગર પાસે બંને મહિલા રોડ ક્રોસ કરી રહી હતી.

તે સમયે દુર્ઘટનાં સર્જાઈ હતી. રસીલાબેન નામનાં 65 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું હતું.ત્યારે અન્ય એક મહિલાને માથાનાં ભાગે ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત મહિલા સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

અરવલ્લીના માલપુર પોલીસ ચોકી નજીક થયેલા અકસ્માતમાં 3 લોકોનાં મૃત્યું થયા હતા. જેમાં 20 નવેમ્બરે બાઈકનો આધેડ સાથે અકસ્માત થયો હતો. ઈજાગ્રસ્ત આધેડનું અકસ્માતનાં દિવસે મૃત્યું થયું હતું. બાઈક સવાર 2 યુવકોનાં સારવાર દરમ્યાન મૃત્યું થયા હતા.

ગાંધીનગરમાં ટ્રક અને ટુવ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને ટુવ્હીલર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મૃત્યું થયું હતું. અકસ્માતમાં થતા 27 વર્ષીય યુવકનું મૃત્યું થયું હતું. સેક્ટર 27 માં અકસ્માતની ઘટના બની હતી.

વડોદરામાં અમિતનગર બ્રિજ પાસે એમ્બ્યુલન્સ વાનનો અકસ્માત સર્જાયો હતો. દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ઝાડ સાથે અથડાયા બાદ એમ્બ્યુલન્સ પલ્ટી ગઈ હતી. એમ્બ્યુલન્સ ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. રાહદારીઓએ એમ્બ્યુલન્સને સીધી કરી ડ્રાઈવર અને દર્દીને બહાર કાઢ્યા હતા. એમ્બ્યુલન્સમાં સવાર દર્દીને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા હતા.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com